SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૨૦ : નિહ્નવવાદ: અને બીજે સૂક્ષ્મ જુસૂત્ર. તેમાં સ્થલ ત્રાજુસૂત્ર વર્તમાન પર્યાય ઘણુ સમય સુધી રહે છે એમ માને છે. જેમકે જીવના દેવ, મનુષ્ય, તિર્યંચ ને નારક વગેરે પર્યા છે. તેમાં દેવ પર્યાયમાં જીવ ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમ સુધી રહે છે. મનુષ્ય પર્યાયમાં વધારેમાં વધારે ત્રણ પત્યોપમ રહે છે. ઈત્યાદિ તે સ્વીકારે છે. પણ સૂમ બાજુસૂત્ર કહે છે કે કઈ પણ પર્યાય એક ક્ષણથી વિશેષ રહેતા જ નથી. બીજે સમયે પર્યા અદલાય જાય છે માટે તે પર્યાય માત્રને ક્ષણસ્થાયી માને છે. પ્રશ્ન આ નયની માન્યતા કયા દર્શનને અભિમત છે ? ઉત્તર–વાચાર તા ઉમા ' જે અર્થ ક્રિયાને કરે છે તે જ વાસ્તવિક સત્ છે. દરેક પદાર્થને અનુરૂપ ક્રિયા થતી જ હોય છે. દરેક ક્ષણે નવા નવા વિષયને અનુકૂળ નવી નવી ક્રિયાઓ થાય છે, એટલે આ ક્ષણે જે ક્રિયા છે તે બીજે ક્ષણે નથી, બીજી ક્ષણે જુદી ક્રિયા છે માટે પદાર્થ પણ જુદે છે. એ પ્રમાણે દરેક પદાર્થ ક્ષણ માત્ર રહેવાવાળે છે. કહ્યું છે કે-“ચત્ તત્ તત્ નિમ્' (જે સત્ છે તે ક્ષણ માત્ર સ્થાયી છે). એ પ્રમાણે બૌદ્ધ દર્શનની માન્યતા છે. તે આ સૂમ જુસૂત્ર નયને આધારે છે. ત્રાજુસૂત્ર નય બીજા નયાનું ખડન કે વિરોધ કરતા નથી. જ્યારે ઔદ્ર દર્શન પિતાનું જ સત્ય છે, બીજાનું મિથ્યા છે એમ માને છે માટે તે મિથ્યા છે. પ્રશ્ન–આ નયના સમ્બન્ધમાં વિશેષ કાંઈ જાણવા યોગ્ય હોય તે સમજાવે. ઉત્તર–આગમમાં એક સ્થાને “વાર ને પુર પણ રડ્યાઘાત પુi mજી ” એ પ્રમાણે સૂત્ર આવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy