SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ ': ૨૧૪ નિતવવાદ: છું. જંગલમાં જઈને લાકડું કાપતો હોય ત્યારે પૂછે છે કે શું કાપે છે? તે કહે કે પ્રસ્થક કાપું છું. લાકડું લઈને ઘર તરફ આવતો હોય ને પૂછે કે શું લાવ્યા ? તે કહે કે પ્રસ્થક લા. છેવટે પ્રસ્થકને આકાર બનાવતાં પણ પ્રસ્થક કહે ને બન્યા પછી પણ પ્રક કહે. અહિ, સુથાર જે લાકડાને ચીરતાં, છેલતાં, ઘડતાં, એમ સર્વ કાર્ય કરતાં પ્રસ્થક શબ્દથી સંબોધે છે તે પણ નિગમ નયને આશ્રયીને યથાર્થ છે. આ ઉદાહરણમાં વિશેષની પ્રધાનતા છે. ઉદાહરણ ત્રીજુ ગામનું– કેટલાએક મુસાફરો મુસાફરી કરતાં કરતાં સુરત તરફ જતા હોય, ત્યાં તેઓ સુરતની હદમાં પ્રવેશ કરે ત્યારે તેમાંથી કઈ પૂછે કે આપણે ક્યાં આવ્યા ? જાણકાર કહે કે સુરતમાં. થોડું આગળ ચાલે અને ગામની બહારના બાગ-બગીચામાં પ્રવેશ કરે તે સમયે પૂછે તે પણ સુરતમાં આવ્યા એમ કહે. ગામના કિલ્લા પાસે આવે ત્યારે પણ સુરતમાં આવ્યા. ચૌટામાં, મહાલલામાં, શેરીમાં, ખડકીમાં, ઘરમાં અને આખર પોતાને બેસવાના ઓરડામાં-બેસવાની જગાએ આવે ત્યારે પણ સુરતમાં આવ્યા એમ કહે. વળી સુરતના પાંચ પ્રતિષ્ઠિત ગૃહસ્થ બહારગામ વિદ્વાન મુનિ મહારાજને વિનતિ કરવા માટે જાય ત્યારે જે ગામમાં તેઓ ગયા હોય તે ગામના માણસો વાત કરે કે આજ તો સુરત વિનતિ કરવા માટે આવ્યું છે. એ પ્રમાણે ઉપર બતાવેલ સર્વ સ્થળે સુરત સુરત, એવો જે વ્યવહાર થાય છે તે નૈગમ નયને આધારે છે. જગતના સર્વ વ્યવહારમાં નૈગમ નયની પ્રધાનતા છે. પ્રશ્ન–નગમ નય પ્રમાણે વર્તનાર સમ્યગ્દષ્ટિ કહેવાય કે મિથ્યાદષ્ટિ ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy