SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ નિહ્નવ: જમાલિ—બહુરત ( ૧ ) જમાલિની દીક્ષા-ક્ષત્રિયકુંડ નામના નગરમાં જમાલિ નામના ક્ષત્રિય હતા. તે પરમાત્મા મહાવીરસ્વામિની બહેન સુદર્શનાના પુત્ર હતા. શ્રી વીર પ્રભુની પુત્રી પ્રિયદર્શના તેમની પત્ની હતી. એકદા શ્રીવીર વિભુ વિચરતા વિચરતા ક્ષત્રિયકુંડ નગરમાં પધાર્યાં (સમવસર્યાં). તેમને વન્દન કરવા માટે પરિવાર સાથે જમાલિ ત્યાં ગયા. પ્રભુની દેશના સાંભળી તેમને વૈરાગ્ય થયેા, સંયમ લેવાની ભાવના જાગી, ઘેર આવી માતાપિતાની અનુમતિ માંગી. બધા સહમત થયાં. દીક્ષાને માટે વિશ્વપ્રશ'સનીય મહાત્સવ કર્યાં, અપૂર્વ આડમ્બરપૂર્વક વઘેાડા ચડાવ્યેા. જમાલિની સાથે બીજા ૫૦૦ ક્ષત્રિયા દીક્ષા લેવાને તૈયાર થયાં. શ્રીમહાવીર પ્રભુએ સર્વે ને ચારિત્ર આપ્યું. પ્રભુના પુત્રી ને જમાલિના પત્ની પ્રિયદર્શનાએ પણ તે જ સમયે એક હજાર સ્ત્રીઓ સાથે સંયમ ગ્રહણ કર્યું.... જમાલના શ્રી વીર પ્રભુથી જુદો વિહાર~ શ્રી વીરવિભુની સાથે જમાલિ મુનિ વિચરતા હતા. વિવિધ તપશ્ચર્યા કરતાં, ક્રિયાકાણ્ડમાં, વિધિવિધાનમાં અપ્રમત્ત રહેતા, અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતાં ને કરાવતાં, જ્ઞાનઘ્યાનમાં આ સક્ત જમાલિ મુનિ અનુક્રમે અગિયાર અંગના જાણકાર થયા. શ્રી વીરભગવાને તેમને પાંચસે સાધુ અને એક હજાર સાધ્વીના For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy