SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૪ ઃ નિતવવાદ : શિવભૂતિના હૃદયમાં કાંબળ પ્રત્યે મમત્વ પ્રકટી ચૂકયું હતું. એટલે ગુરુમહારાજશ્રીને કંઈ પણ ઉત્તર આપ્યા સિવાય તે પિતાને આસને આવ્યા. એક બાજુ દુષ્કર કામળને ત્યાગ અને બીજી બાજુ ગુરુમહારાજશ્રીને નિર્દેશ. એ બેની વચ્ચે તેમનું ચિત્ત ઝેલા ખાવા લાગ્યું. સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાં તે મૂકાયા. શિવભૂતિના ગયા બાદ, આચાર્ય મહારાજશ્રીએ વિચાર્યું કે આ એક સાધુને આવી કિંમતી કામળ રાખવાની છૂટ આપવાથી બીજા મુનિઓ પણ તેનું અનુકરણ કરી કિમતી વસ્તુઓ રાખતા થઈ જશે, ને એ રીતે અપરિગ્રહી ગણુતા મુનિઓ ધીરે ધીરે પરિગ્રહને વશ થઈ પતન પામશે. લંગોટી લેતા બાવાની માફક જ જાળ વધારી મૂકશે. એવું ન બને માટે પ્રથમથી જ આ અટકાવવું જોઈએ. એક વખત શિવભૂતિ બહાર ગયા હતા ત્યારે આચાર્ય મહારાજશ્રીએ તેનું વીંટીયું મંગાવ્યું. તેમાંથી રત્નકમ્બલ કાઢીને તેના આસનીયા કરી સાધુઓને વાપરવા આપી દીધા. શિવભૂતિ આવ્યા ત્યારે તેમને એ વાતની ખબર પડી. મનમાં ને મનમાં તે સમસમી ગયાં. કાંઈ પણ બોલી શકયાં નહિં. આગમનું અધ્યયન ચાલતું હતું. શિવભૂતિ પણ પઠનપાઠનમાં રસ જામેલ હેવાથી અદયયન-ચિન્તન-મનન કરતાં હતાં પણ તેમના મનમાંથી કામલને માટે બનેલ પ્રસંગ ખસતું ન હતું. ગુરુ મહારાજશ્રી અપ્રમત્તભાવે શિષ્યાને શાસ્ત્રોના રહસ્ય સમજાવતા હતા. એકદા આગમમાં જિનકલ્પનું વર્ણન આવ્યું. વિશદ રીતે આચાર્ય મહારાજે તે કહ૫નું નિર્વચન કર્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy