SearchBrowseAboutContactDonate
Page Preview
Page 217
Loading...
Download File
Download File
Page Text
________________ : ૨૦૦ : નિહવવાદ: કરાવતા, મેહ મુંઝાયેલાને નહિં સૂઝતા મુક્તિમાર્ગમાં વિચરનારા, માયાની મજા માણતા માણસના સંસારને આધાર માની તેથી દૂર દૂર રહેનારા મુનિઓ રથવીરપુરની બહાર આવેલા દીપક નામના ઉદ્યાનમાં વિરાજતા હતા. પૂજ્ય આચાર્યશ્રી આર્યષ્ણુસૂરિજી મહારાજના શાસનનું પાલન કરતાં મુનિઓ રાત્રિનો તૃતીય પ્રહર પૂર્ણ થવા આવ્યું એટલે શયનનો ત્યાગ કરી, આવશ્યક વિધિવિધાનમાં નિયુક્ત થયા. કેટલાએક ગધ્રાહી મુનિએ યોગવિધાનો કરતા હતા. કોઇ ધ્યાનસ્થ રહી આત્મચિન્તનમાં મસ્ત હતા. કેઈ કા ત્સર્ગમાં સ્થિર રહ્યા હતા. કોઈ માળા ફેરવી જાપ કરતા હતા. રાત્રિના નીરવ વાતાવરણમાં મુનિઓના પવિત્ર ક્રિયાકાંડેની પુણ્યપ્રભા ચારે તરફ પ્રસરતી ઉદ્યાનના અણુએ અણુને શાન્તિ અને ભવ્યતા અર્પતી હતી. શિવભૂતિ-માતાથી તિરસ્કાર પામેલે શિવભૂતિ ધીરે ધીરે માર્ગે આગળ ચાલ્યા. ઊઘાડા દ્વારની શોધમાં તે આગળ વધ્યું. જગત્ નિદ્રામાં હતું. જગત્ ભયમાં હતું. ભવભયથી ભીત આત્માઓના બારણું બંધ હતા. તે જગતને ભયમાં જ છોડી શિવભૂતિ દીપક ઉદ્યાનમાં આવી પહોંચે. શમ-શક્તિના દિવ્ય વાતાવરણથી મહેકતા ઉદ્યાનમાં પગ મૂકતાં જ તેણે શાન્તિ અનુભવી, તેને ઉકળાટ શમી ગયે. શાન્તિના સામ્રાજ્યમાં આગળ વધતો તે અણગારોનો જ્યાં વાસ હતો ત્યાં જઈ પહોંચ્યા. ત્યાં બારણું ખુલા હvi, બંધ ન હતાં. ઉપાશ્રયના દ્વાર આઠે પહોર, સાઠે ઘડી, ચોવીસે કલાક ઊઘાડાં જ રહે છે. ત્યાં ભીતિ જેવું કાંઈ નથી હોતું કે બંધ કરવા પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy