SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૯૬ : નિતવવાદ : પ્રથમ તો સારું હતું, હવે શું છે ? શું તને કઈ વ્યાધિ-રોગ થયે છે? શું કોઈ તરફથી કોઈ દુ:ખ પડે છે? કઈ જાતની ચિન્તા વળગી છે? છે શું? જે હોય તે જણાવ-વાત કરે તે તેને ઉપાય થાય. શરમાવાની કોઈ જરૂર નથી. “શરમાય તે કરમાય” માટે જ હોય તે કહે. અહિ મને તું વાત નહિ કરે તે કહીશ કોને ? અહિં તારે બીજું છે કોણ?” આટલે દિવસે પિતાની સાસુના આવા સ્નેહાળ વચનો-પુત્રી જેવું સાધનસુખદુ:ખના પ્રશ્નો સાંભળી તેનું હૃદય ભરાઈ આવ્યું. તે રડી પડી. તેને પોતાની સાસુ આજ અનુપમ ભાસી. તે કાંઈ બેલી શકી નહિં. તેને રડતી જોઈને તેની સાસુએ તેના દુઃખનું કોઈ ગંભીર કારણ કલયું. તેને વધુ પાસે ખેંચી, ગોદમાં લીધી. વાંસે હાથ ફેર ને વળી પૂછયું-“બહેન ! એવું તે તારે માથે શું છે? કે તું કાંઈ કહેતી નથી. આમ રોયા કરે છે. સ્પષ્ટ વાત કરમારી પાસે કંઈપણ છાનું રાખવાનું કારણ નથી.” - તે શાન્ત થઈ. ઘણા દિવસનું ભરાયેલ દુઃખ તેણે પોતાની માતા સમાન સાસુ પાસે ઠલવ્યું. તેણે જણાવ્યું— “માતાજી! આપને હું શું કહું? અહિં મને ખાવાપીવાની, પહેરવા ઓઢવાની કોઈ જાતની ખામી નથી. કામને એ જે નથી કે મારે દિવસ રાત તેને ઢરડે કરવું પડે. આપના પુત્રના પ્રભાવથી મારી સામે કઈ ઊંચી આંખ કરી જોઈ શકે એવું પણ નથી. પણ તેથી શું? આપ એક સ્ત્રી છો એટલે સમજી શકો કે સ્ત્રીહૃદયને શું જોઈએ. આપના પુત્રના પ્રેમ વગરના દુનિયાના રાજ્યને હું શું કરું? મારા કેઈ મોટા પાપ સ્વામીના સનેહથી હું તદ્દન વંચિત રહી છું. એક સન્તાન પણ હોત તો તેના પર મારું મન ઠરત. તેને જોઈને રમાડીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy