SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ શિવભૂતિ : : ૧૯૫ : સ્વછંદે ચડેલા સ્વામીને આ સાદવી સ્ત્રીની સેવાની કોઈપણ કિંમત ન હતી. ધમધમાટ કરતે તે આવતો, સ્ત્રીને ધમકાવતે, કાંઈ પણ ભૂલ થાય તો મારતો ને ચાલ્યા જતો. એ પ્રમાણે તેના અને તેના કુટુમ્બના દિવસે પસાર થતા હતા. દિનાનુદિન શિવભૂતિમાં એક પછી એક દુર્ગણ ઘર કરતા જતા હતા. મદિરાપાન ને ચૂત ખેલન તો તેના જીવનસાથી બન્યા હતા. સ્વચ્છજે તેનું પતન કરાવ્યું હતું. શિવભૂતિની પત્નીએ પરણ્યા પહેલાં-કુમારી અવસ્થામાં શિવભૂતિના બહાદૂરી–સાહસિકતા વગેરે સાંભળ્યા હતાં, તેથી તેણે પોતાના જીવનની બહાર માણવાના કેડ સેવ્યા હતા, અનેક અભિલાષે વિચાર્યા હતા, આશાના હવાઈ મહેલ ચડ્યા હતા; પણ પરણ્યા પછી–સાસરે આવ્યા બાદ બધું ય આથમી ગયું. મનની મનમાં જ રહી ગઈ. સ્વામીને સ્નેહ એ શું ચીજ છે? તેનો અનુભવ પણ તેને ઝાંઝવાના જળ જે જણ. એ સર્વ છતાં તે સ્ત્રી અબળા પિતાની ફરજ અદા કરવામાં ચૂકતી નહિં એ ગજબ હતો. સ્વામીની પ્રસન્નતા પ્રાપ્ત કરવા, તેને રાજી રાખવા તે સ્ત્રીએ પોતાનું શરીર નીચવી નાંખ્યું હતું. એકદા તે સ્ત્રી વચ્ચે બદલતી હતી-પહેરતી હતી. તેની કાયા ખુલી હતી. સામે છેડે જ દૂર તેની સાસુ બેઠી હતી. તેની નજર પિતાની પુત્રવધૂ પર પડી. સુક્કલ લકડી જેવું તેનું શરીર શિવભૂતિની માતાએ જોયું. તે વિચારમાં પડી ગઈ. આ શું? તેણે પોતાની પુત્રવધૂને પાસે બોલાવી બેસારીને પૂછયું : “પુત્રી ! ધનધાન્યથી ભરપૂર આ ઘરમાં શેની ખોટ છે કે તારું શરીર આટલું બધું ક્ષીણ ને દુર્બલ થયેલું જણાય છે? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy