SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૮૦ : નિહ્નવવાદ : રોગ્ય સંઘયણ-કાળ વગેરે સામગ્રી જે આત્માઓને પ્રાપ્ત ન થઈ હોય–અર્થાત પંચમ આરામાં જેઓ જનમ્યા હોય તેને તમારું પ્રત્યાખ્યાન હોય જ નહિ. આ સવા છતાં તમે સિદ્ધદશામાં પણ પ્રત્યાખ્યાનો ભંગ નથી થતો, ત્યાં ગયા પછી તે પૂર્ણ પણે પળાય છે એ ક્યાંથી લાવ્યા? સિદ્ધાત્માઓને પ્રત્યા ખ્યાન માનતાં તેમને સર્વસંયમ માનવું પડશે. જો તમે સિદ્ધોને પણ સંયમી માનશે તો સર્વપ્રણીત આગમનો સ્પષ્ટ અ૫લાપ કરે પડશે; કારણ કે આ ગામમાં કહ્યું છે કે-“સિદ્ધ Rા સંસT, Rા વારંવ, Rા રંગારંag.” (સિદ્ધો સંયમી નથી, અસંયમી નથી ને દેશસંયમી નથી. ) પૌરુષી-સાર્ધપૌરુષી વગેરે પ્રત્યાખ્યાને નિયતકાળવાળાં જ છે. તે પ્રત્યાખ્યાન શાસ્ત્રવિહિત છે. સપરિમાણુ પ્રત્યાખ્યાનનો નિષેધ કરતાં તમારે સવ પ્રત્યાખ્યાનનો નિષેધ કરે પડશે. તે તે પ્રત્યાખ્યાને નહિ માને તે વ્યવહાર માર્ગનો લેપ થશે. તથાવિધ તિર્યંને દેશવિરતિની સંભાવના છે તે પણ નહિં સંભવે. વ્યવહાર ચલાવવા તે તે આત્માઓને પણ અપરિમાણ પ્રત્યાખ્યાન કરાવશો તો ભવિષ્યમાં અવશ્ય ભંગ થવાનો છે એમ જાણવા છતાં અસંભવ-અપરિમાણુ પ્રત્યાખ્યાનનું ઉચ્ચારણ કરવાથી પ્રકટ મિથ્યા ભાષણ થશે. વળી “કાવવાઘ' (જીવું ત્યાં સુધી) એ પ્રમાણેના પ્રત્યાખ્યાનથી મરણ પછી હું ભેગે જોગવીશ એવી ઈછા તેમાં આવતી નથી. તે પદથી તે પ્રત્યાખ્યાનની શક્યતા જ સૂચિત કરવામાં આવે છે, માટે તમે આ યુક્તિસંગત-શાસ્ત્રીય સત્ય માર્ગને અનુસરીને તમારી મિથ્યા વિચારણાઓનો ત્યાગ કરે. તેમાં જ તમારું ને શાસનનું હિત છે. ગે. મા–મને તમારી વિચારણાઓ મિથ્યા લાગે છે ને મારી સત્ય સમજાય છે. તમારો ને મારો માર્ગ ભિન્ન છે. હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy