SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ નિદ્ભવ ગેછા માહિલ : : ૧૭૯ : પૂ૦ પુષ્યમિત્ર સૂરિજી મહારાજે પ્રત્યાખ્યાનના વિષયમાં બતાવ્યા એટલે તેને ઉદ્ધાર કરતાં ગોઝા માહિલે કહ્યું. ગે. મા–તમે જે દોષ બતાવે છે તે ત્યારે જ સંભવે કે જે પાપપ્રવૃત્તિનું વિવિધ વિવિધ પ્રત્યાખ્યાન કરી, યથાર્થ પાળી આત્મા સંસારમાં ભમે છે. પણ તે જ સંભવતું નથી. પૂર્ણ પ્રત્યાખ્યાનનું યથાર્થ પાલન કરનાર સંસારમાં જ ભમતો નથી એમ સિદ્ધ થાય છે. “મન gવ મનુષ્યાળાં, વાજાં વર્ષમો :” વશીકૃત મન મોક્ષને માટે થાય છે. મન સંયમ થાય એટલે આત્મા શુકલધ્યાનની ધારાએ ચઢે ને અનાદિ કાળથી ચાલી આવતી કર્મચન્તતિને નિર્જરી મુક્ત બને. સિદ્ધિમાં ગયેલા આત્માઓ પ્રવૃત્તિશુન્ય જ હોય છે તે પાપપ્રવૃત્તિ તેઓને ન હેય તેમાં શું નવાઈ? એટલે અપરિમાણ પ્રત્યાખ્યાન કરનારને તેના ભંગનો સંભવ જ નથી. પૂર્ણપણે તેના પાલનમાં હરકત નથી. કદાચ કોઈ ત્રિવિધ ત્રિવિધ પ્રત્યાખ્યાન કરીને મુક્તિ સિવાય અન્ય ગતિમાં ઉત્પન્ન થાય તો તેને જે જન્મમાં પ્રત્યાખ્યાન કર્યું છે તે જન્મમાં યથાર્થ પાળ્યું નથી. પ્રથમથી જ તેનો ભંગ કરેલ છે. જેને પ્રત્યાખ્યાન કરી ભંગ કરવાનો છે તેને “કાવવા ' કહો તો તેથી પણ શું ? માટે કાળની જેમાં મર્યાદા ન આવે તે જ પ્રત્યાખ્યાન શાસ્ત્રીય છે. પૂ. પુષ્યમિત્ર-પૂર્વોક્ત બન્ને દોષોનું સમાધાન કરતાં તમે એ દોષને દૂર કરી શક્યા નહિ ને બીજા દોષોને ઉત્પન્ન કર્યા. મન કલ્પિત કથન કરતાં તમે અનેક શાસ્ત્રીય વાતોનો અપલાપ કરે છે. ખરેખર એક જૂઠું અનેક જૂઠાને જન્મ આપે છે. એક તો સિદ્ધિમાં નહિં જનારા આત્માઓ યથાર્થ પ્રત્યાખ્યાનનું પાલન કરતાં નથી. બીજું જેઓએ પૂર્વ અવસ્થામાં અર્થાત્ પ્રત્યાખ્યાન કર્યા પૂર્વે આયુષ્યને બધ પાડેલ છે તે આત્માઓ પ્રત્યાખ્યાન કરી શકે જ નહિં. ત્રીજું મુક્તિગમન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy