SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સપ્તમ નિદ્ભવ ગણા માહિલ : : ૧૬૧ : આચાર્ય મહારાજને વિજ્ઞપ્તિ કરી કે “ભગવન્! દષ્ટિવાદ ભણાવવાને મારા પર અનુગ્રહ કરો. વિવેક વગર મેં નરકમાં લઈ જનાર હિંસપદેશક સર્વ શાસ્ત્રનું અધ્યયન કર્યું પણ હવે મને અહિંસક શાસ્ત્રના અધ્યયનની તીવ્ર મૂચિ છે.” શાન્ત અને ગ્ય જાણી આચાર્ય મહારાજે કહ્યું: “જે દષ્ટિવાદ ભણવાની અભિલાષા હોય તે દીક્ષા ગ્રહણ કરો. દીક્ષિત થયા બાદ તમને કમે કમે તેનું અધ્યયન કરાવાશે.” “મને દીક્ષા આપે, મારા મનોરથ પૂરવાને કામધેનુ ક૯પ દીક્ષા મને કંઈ દુષ્કર નથી, પરંતુ મારી એક વિનતિ છે કે મારી ઉપર કૃપા કરીને મને દીક્ષા આપીને તરત આપે અન્ય સ્થાને વિહાર કર જોઇશે; કેમકે જે હું અહિં હાઈશ તે મારા તરફના પ્રેમને કારણે રાજા અને નાગરિકો મને સંયમથી યુત પણ કરશે.” આર્યરક્ષિતજીએ કહ્યું. આચાર્ય મહારાજ તેમને દીક્ષા આપી અન્યત્ર વિહાર કરી ગયા, અને સારી રીતે ભણાવી વિશેષ અદયયન માટે તેમને શ્રીવાસ્વામીજી પાસે મોકલ્યા. ત્યાં કેટલાએ વર્ષ વીત્યા બાદ તેમને બધુ તેમને બોલાવવા આવ્યા ને વિનવવા લાગ્યા, તે પૂર્વે કહેવાયું છે. (૩) પૂજ્યશ્રી વજાસ્વામીજી પાસે અભ્યાસ કરતાં ઘણું સમય ગમે એટલે માતાપિતાની પ્રેરણાથી ફગુરક્ષિતજી આર્ય રક્ષિતજીને બોલાવવા માટે આવ્યા ને દશપુર પધારવા આગ્રહ કર્યો ત્યારે શ્રી આર્યરક્ષિતજીએ જણાવ્યું: “જે તને મારા ઉપર સ્નેહ હોય તો તું અહિં રહી જા. મારું અધ્યયન પૂર્ણ ન થાય ત્યાં સુધી હું આવી શકું નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy