SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ 1 - સપ્તમ નિરંવ ગાણ માહિલ : : ૧૫૯ : પુત્રે કહ્યું: “મને તારુ વચન માન્ય છે. તે ગુરુ પણ મને પ્રમાણ છે. તેમનું નામ ને ઠામ મને બતાવ. હું તેમની પાસે જઈશ.” પુત્રના વિનયથી હર્ષિત થયેલી માતાએ વસ્ત્રના છેડાવડે પુત્રને વીંજતા વીંજતા કહ્યું: “પુત્ર! આચાર્ય શ્રીતસલીપુત્ર મહારાજ આપણી ઈશ્નવાટિકામાં વિરાજે છે. તેમની પાસે જા, તેઓ તને દૃષ્ટિવાદ ભણવશે. ” સવારે તેમની પાસે જઈશ” એમ કહી આર્ય રક્ષિતજી દૃષ્ટિવાદના જ વિચાર કરતા કરતા રાત્રિએ સૂતા. સવારે માતાને પૂછીને શ્રી આર્યરક્ષિતજી દૃષ્ટિવાદના અધ્યયન માટે ચાલ્યા. માર્ગમાં તેમના પિતાના મિત્ર તેમને મળવા માટે આવતા હતા, તે સામે મળ્યા. તેઓ ભેટમાં નવ શેરડીના સંપૂર્ણ સાંઠા ને એક થડે કપાયેલ ખંડ લઈને આવતા હતા. રસ્તામાં આર્યરક્ષિતજીને જોઈને, તે તેમને ઓળખતા ન હતા છતાં દિવ્યાકૃતિ ને દિવ્ય તેજથી અનુમાને પૂછ્યું તમે જ આર્ય રક્ષિત છે ? ” આર્યરક્ષિતે મસ્તક નમાવી મૌન ભાવે હકાર ભર્યો. એટલે તે તેમને ભેટી પડ્યા. અને બોલ્યા: “ આ શેરડીના સાંઠા હું તમારે માટે લાવ્યો છું. તમે કઈ તરફ જાવ છે ?” “હું બહાર જાઉં છું. આપ આ સાંઠા મારી માતાજીને આપજે ને કહેજો કે બહાર જતા આર્યરક્ષિતને આ પ્રથમ શુકન થએલ છે. ” બ્રાહ્મણે જઈને તે પ્રમાણે કહ્યું ત્યારે માતાએ વિચાર્યું કે આ શુકનથી મારો પુત્ર નવ પૂર્વ સંપૂર્ણ અને દશમા પૂર્વના ખંડને જાણશે. શ્રી સલીપુત્ર મહારાજના ઉપાશ્રય પાસે આવી, આર્યન રક્ષિતજીએ વિચાર્યું કે-ગુરુમહારાજ પાસે જઈ શું વિનય કરે એ મને ખબર નથી. રાજાની માફક ગુરુની પાસે પણ જેમ તેમ જવું એ પરિચિતને પણ ગ્ય-ઉચિત નથી તે હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy