SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૫૮: નિતવવાદ: વૈદી વિદ્વાનને બહુમાન સહિત હાથીના હોદ્દા ઉપર આરૂઢ કરી, સામૈયાપૂર્વક નગરપ્રવેશ કરાવ્યું. નગરના સર્વ જન તેમને મળવા આવ્યા. ભેટણ કરીને તેમની પ્રશંસા કરતા પાછા વળ્યા. એક દિવસ માત્રમાં તે મહાશ્રીમન્ત થઈ ગયા. છેવટ તેમને વિચાર આવ્યું કે મારી માતા, જેણે મને જન્મ આપે છે, આટલી ઉચ્ચ સ્થિતિમાં મૂક્યું છે, મારામાં બાલ્યાવસ્થાથી શુભ સંસ્કાર રેડ્યા છે તેને હું હજુ સુધી ન મ; સૌથી પ્રથમ મારે તેની પાસે જઈ વંદન કરવું જોઈએ. હવે શીધ્ર જઈ માતાને મળું ને મારા વૃત્તાન્તથી તેને આનન્દ્રિત કરું, એમ વિચારી તુરત તે માતા પાસે આવ્યા. વિનયપૂર્વક પગે પડ્યા..“ ચિરાયુ ને અમર થા ” એમ આશીર્વાદ આપીને માતાએ સામાન્ય જનની માફક મૌન ધારણ કર્યું. એટલે આર્ય રક્ષિતજી અન્તર્વેદનાનું સંવેદન કરતા વઘા-“હું વિદ્યાસમુદ્રને પાર પામીને આવ્યો છું છતાં હે માત! તું પહેલાંની માફક પ્રેમપૂર્વક કેમ બેલતી નથી, ને મૌન ધારણ કરે છે ? શું મારી ભક્તિ કે વિનયમાં તને ખામી જણાય છે ?” ઉત્તર આપતા માતાએ જણાવ્યું-“પુત્ર ! હિંસાના ઉપદેશથી ભરેલ ને નરકમાં લઈ જનાર વિદ્યા ભણવાથી શું ? મારી કુક્ષિએ જન્મેલ તને નરક પ્રત્યે જતો જોઈને હું આનન્દ કેમ પામું? કાદવમાં ખૂતેલ ગાયની માફક ખેદમાં હું નિમગ્ન થઈ છું-દુઃખિત છું. તારા ભણતરથી મને સર્વથા અસંતોષ છે. જે તને મારામાં શ્રદ્ધા હોય તે સ્વર્ગ અને મેક્ષના કારણભૂત દષ્ટિવાદનું અધ્યયન કર.” “મા! મને દષ્ટિવાદ કોણ ભણાવશે? જે તે વિષયના જ્ઞાતા હોય તે મને બતાવ. હું તેમની પાસેથી શિખીશ.” માતાએ કહ્યું: “સાધુઓ-જૈન મુનિએ દષ્ટિવાદ જાણે છે. તે તેમને ઉપાસક બન. તેમની સેવા કરીને દષ્ટિવાદ શીખ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy