SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ગાષ્ઠા માહિલ • — નામ [જીવ અને કર્મને સમ્બન્ધ તથા પચ્ચકખાણુના વિષયમાં વિપરીત દૃષ્ટિવાળા સાતમા નિવ. (૧) એક મુનિ બીજા કેટલાએક મુનિએ સાથે, વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવા વિશિષ્ટ જ્ઞાની પાસે જવાના ઇરાદાથી, વિહાર કરતા કરતા ઉજ્જયિની નગરીમાં પધાર્યાં. તે સમયે ત્યાં પરમ વૃદ્ધ આચાર્ય મહારાજ શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજ વિરાજતા હતા. તે મુનિએ તે ઉપાશ્રયમાં આશ્રય ગ્રહણ કરી પેાતાના ઉદ્દેશ તેઓશ્રીને વિદિત કર્યાં. મહારાજશ્રી તેથી ઘણા હર્ષિત થયા ને કહ્યું: “ વત્સ! તુ ધન્ય છે. કૃતાર્થ છે. શ્રીમાન્—ધીમાન્ છે. તું અહિં આવ્યે તે ઘણું ઉત્તમ થયુ. મારું આયુઃ હવે સ્વલ્પ માત્ર રહ્યું છે, માટે હું તારી પાસે એક માંગણી કરું છું. મને નિજામણા કરાવીને પછી તુ’ તારી ઇષ્ટસિદ્ધિ માટે વિહાર કરજે. ” મુનિશ્રીએ તે વાત અંગીકાર કરી. શ્રીભદ્રગુપ્તસૂરિજી મહારાજ અનશન કરી પડિતમરણથી સ્વર્ગગામી થયા તે પહેલાં તેમણે મુનિને એક સૂચના કરી. Jain Education International “ વત્સ ! તું વજા પાસે અધ્યયન કરવા જાય છે તે ખુશીથી અધ્યયન કરજે, પણુ વ જ્યાં આહાર-પાણી વાપરતા હાય ને શયન કરતા હાય ત્યાં તેમની સાથે વાપરતા નહિ ને શયન પણ કરતા નહિ, અન્ય આવાસમાં વાસ કરશે; કેમ કે For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy