SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ : ૧૪૪ : નિત્વવાદ : વસ્તુ પણ જુદી માનવી જોઈએ, ને તે પ્રમાણે માનતાં ત્રણ રાશિ સિદ્ધ ન થતાં ચાર રાશિ સિદ્ધ થશે. બીજું એક નયને જે અભીષ્ટ હોય તે કંઈ સર્વનયસમ્મત ન થઈ શકે. અને જ્યાં સુધી બીજા નયનો વિરોધ હોય ત્યાં સુધી તે વિચાર સિદ્ધાન્ત તરીકે સ્વીકારી શકાય નહિં, માટે જ હજુ સૂત્રને માન્ય સર્વથા ક્ષણિકત્વ અન્ય નયે નથી સ્વીકારતા એટલે અપસિદ્ધાન્ત છે-મિથ્યાત્વ છે. એ જ પ્રમાણે “જીવ’ ભલે સમભિરૂઢ નય સ્વીકારે તો પણ અન્ય નાનો વિરોધ હોવાથી સિદ્ધાન્ત માની શકાય નહિં. સિદ્ધાન્ત તો અન્ય નાના અવિરોધ જ મનાય; માટે જીવ અને અજીવ એમ બે જ રાશિ છે પણ ત્રણ રાશિ નથી. અનુગદ્વાર સૂત્રમાં પણ સમભિરૂઢ નયને અનુલક્ષીને કહેલ છે. “ જીવ ને જુદી રાશિ માનવાનું ત્યાં કથન નથી માટે તેનો પણ વિરોધ સંભવતો નથી. ઉત્તરપક્ષ સંપૂર્ણ ( ૧૦ ) મંત્રીજી ! આ બન્ને મુનિમહારાજાઓ મહિનાઓ થયા વાદ-શાસ્ત્રાર્થ કરે છે, પણ હજુ સુધી કંઈ નિર્ણય ઉપર આવતા નથી તો હવે આપણે પૂછવું જોઈએ કે આપને આ શાસ્ત્રાર્થ કેટલા દિવસ ચાલશે ?” “જી, આપનું કહેવું સત્ય છે. પ્રજામાં પણ હવે ચર્ચા ચાલે છે કે રાજા સાહેબ છ છ મહિનાઓ થયા પ્રજાની કંઈ પણ ફરિયાદ સાંભળતા નથી અને બે મહારાજના વાદમાં સમય વીતાવી દે છે, માટે કાં તો પ્રજાના ન્યાયને માટે જુદી વ્યવસ્થા કરવી જોઈએ, નહિં તે મહારાજાઓને આ વાદને જલદી નિકાલ લાવવા સૂચવવું જોઈએ.” “સારું, હું આચાર્ય મહારાજશ્રીને સૂચવીશ. આવા મહાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy