SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નિવ શ્રી રોહગુમઃ : ૧૧૩ : છે, અથવા પાર્થિવ અગ્નિ પ્રસિદ્ધ છે તે, નભે ગ્નિ, વિદ્યુત વગેરે ને જઠરાગ્નિ એ ત્રણ અગ્નિ છે. મન્નશક્તિ, ઉત્સાહશક્તિ અને પ્રભાવશક્તિ અથવા જનનશક્તિ, રક્ષણશક્તિ તથા વિનાશશક્તિ એમ ત્રણ શક્તિઓ છે. સ્વ, દીર્ઘ અને કુત, અથવા ઉદાત્ત, અનુદાત્ત તથા સ્વરિત એમ ત્રણ સ્વરે છે, સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ એ ત્રણ લેક છે. ઉપન્નઈ વા, વિગમેઈ વા, ધુવેઈ વા, (ઉત્પાદ, વ્યય ને ધ્રૌવ્ય) એ ત્રણ પદે છે. ત્રિવેણીની માફક ત્રણ પોખરાવાળું ત્રિપુષ્કરતીર્થ છે અથવા દિનવિકાસી, રાત્રિવિકાસી અને સયાવિકાસી એમ ત્રણ પ્રકારના કમળ છે. શુદ્ધ બ્રહ્મ, માયાવછિન્ન બ્રહ્મ, અને અન્તઃકરણાવછિન્ન બ્રહ્મ એ પ્રમાણે અથવા તે બ્રહ્મ એક જ છતાં સમષ્ટિના કારણભૂત શરીરમાં રહેલા બ્રહ્મ ‘વિરાટ’ કહેવાય છે, સ્થૂલને ઉત્પન્ન કરવામાં કારણભૂત શરીરમાં રહેલા બ્રહ્મ “હિરણ્યગર્ભ” કહેવાય છે અને સૂક્ષમને ઉત્પન્ન કરવામાં કારણભૂત શરીરમાં રહેલ બ્રહ્મ “ઈશ્વર” કહેવાય છે. એ પ્રમાણે બ્રહ્મ ત્રણ છે. લાલ, પીળો, ને વાદળી અથવા બ્રાહ્મણ, ક્ષત્રિય ને વેશ્ય એમ ત્રણ વણે છે. સત્વ, રજ અને તમારું એમ ત્રણ ગુણ છે. ઉત્તમ, મધ્યમ અને અધમ એમ ત્રણ પ્રકારે પુરુષ છે. મંગલાર્થક, કેષમાં કહેલ છે. વળી બીજી રીતે પણ યજ્ઞમાં મન્નથી સંસ્કારિત કરેલ અગ્નિ ત્રણ પ્રકારને આવે છે. જેના નામ સમૂધ, પરિચાય ને ઉપયાય છે. એ પણ લઈ શકાય. ૧. એક માત્રા જેમાં હોય તે સ્વ સ્વર, બે માત્રા હોય તે. ' દીર્ધ વર, અને ત્રણ માત્રા હોય તે લુત સ્વર કહેવાય છે. ૨. ઊંચેથી બેલાય તે ઉદાર, નીચેથી બોલાય તે અનુદાત્ત અને મધ્યમ રીતે બોલાય તે સ્વરિત સ્વર કહેવાય છે. ૩. દ્ર-હોવાને કારણે અથવા દ્વિજાતિમાં એટલે જનોઈ રાષ્ટ્ર વામાં તેનો અધિકાર નહિં ગણાયેલ હોવાથી તેની ગણતરી કરેલ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy