SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ પંચમ નિવ આર્ય ગંગાચાર્ય : : ૧૦૫ : ગોટેગોટા નીકળવા લાગ્યા. લેકે આંખે ચળતા ચળતા એકદમ ઊભા થઈ ગયા, ને ભયભીત બની જેમ માર્ગ મળ્યો તેમ ભાગવા લાગ્યા. ગંગાચાર્યની પાટ એકદમ ધ્રુજવા લાગી. તેમને લાગ્યું કે હું પડી જઈશ, પરંતુ સ્વસ્થતા ગુમાવ્યા સિવાય આમ શાથી થયું તે વિચારવા લાગ્યા. દેવીપ્રગ સિવાય આ બનાવ બનો તેમને અસંભવિત જણ. દેવતાઈ ઉપદ્રવને શાન્ત કરનારા મંત્રોને પાઠ કરવા લાગ્યા. મત્રબળથી વાતાવરણ શાન્ત થયું ત્યારે ક્યા દેવે આ ઉપદ્રવ કર્યો હશે ? તેની વિચારણા કરતાં ગંગાચાર્યો જે દેવે આ કર્યું હોય તે દેવને પ્રત્યક્ષ થવા માત્રથી આમત્રણ કર્યું. પ્રથમ ભૂમિમાંથી એકદમ ધૂમાડે નીકળવા માંડ્યો, પછી અગ્નિની આછી જવાળા જણાઈને આખરે ત્યાં એક દેવ પ્રકટ થયે. “મને યાદ કરવાનું કારણ?” દેવે પૂછયું. આપ સુમનસ અને વિબુધ થઈ આવા ધર્મના ઉપદેશ સમયે ઉપદ્રવ શાથી કરે છે, તે સમજાતું નથી, તો આપ કોણ છે? ને આ ઉપદ્રવ કરવાનું કારણ શું છે? તે જણાવશે?” ગંગાચાર્ય દેવને કહ્યું. દેવે જણાવ્યું–“આપની ઉપદેશ શક્તિથી હું રંજિત થો છું. હું પણ અહિં નિકટમાં ઉપદેશ શ્રવણ કરતો હતો. આવા ધાર્મિક ઉપદેશનો વધારે જનતા લાભ લે એવી હે કાળજી રાખું છું, સગવડ કરું છું, ને તેથી જ અહિં સામાન્ય સ્થિતિના ઉપદેશક બોલી પણ શકતા નથી. અને વિશિષ્ટ વક્તાઓ અહીં વ્યાખ્યાન આપી દેશભરમાં વિખ્યાતિ મેળવે છે. આ સ્થળ મારા રક્ષણમાં છે. આ મણિનાગ ચેક પણ મારા નામે જ પ્રસિદ્ધ થયેલ છે. અહીં નજીકમાં મારું ચૈત્ય છે. ઘણું સમયથી હું ત્યાં નિવાસ કરું છું. મારુ કઈ ઓછુવનું માન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy