SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શકે-એકાંતવાદીઓના અરસપરસના ઝગડા, અનેકાંતવાદનું આંજણ આંજી જોતજોતામાં જે નિવારી શકે, સત્યના દર્શન અને અનુસરણમાં કદી અંતરાય ન આવવા પામે એટલા સારુ, ભાષાના વ્યાકરણ જેવું વિચારનું વ્યાકરણ નચ સંગ્રહને નામે વિશ્વને જે દર્શન આપી શકે છે–સમગ્ર સત્યને નિહાળવા અને સમજવા સંશયવાદનો આરોપ આવે તો તેમાથે ચડાવીને પણ અપેક્ષા નક્કી કરવા ઝીણામાં ઝીણી વિગતમાં ઉતરતાં જે જેના દર્શન જાણે કે કદિ થાકતું કે કંટાળતું જ નથી તે દર્શનમાં નિહુનવો દેખાવ દે એ સંભવિત નથી લાગતું, છતાં એમ બનવા પામ્યું છે એ હકકીત છે. જેના ગ્રંથોમાં-પ્રામાણિક સાહિત્યમાં એની નોંધ લેવાઈ છે. રાજાઓ સાથે કોઈ બાબતમાં વાંધો પડતા, એના ભાયાતો અથવા ક્ષત્રિયો બહારવટે નીકળતા-લોકોને રંજાડતા આખરે બળ કે કળથી સમાધાન થતાં મૂળ સત્તાના આશ્રયે પાછા આવી જતા. નિવો દર્શન-જગતના સામાન્ય બારવટીચા જેવા જણાય છે. આ નિહનવો લોકોને રંજાડતા તો નથી પણ સત્ય અને સમન્વયના નિર્મલ ઝરણ ડોળી નાખી છૂપો માનસિક રોગચાળો ફેલાવવા મથતા દેખાય છે. નિહુનવોને પોતાનાં સ્વતંત્ર શાસ્ત્ર-અસ્ત્ર હોય એમ નથી લાગતું. જે ચક્રવર્તી જેવી સત્તા સામે તેઓ બહાર પડે છે એ ચક્રવતીની સત્તા કે શસ્ત્ર સરંજામ એ જ તેઓની તાકાત છે એ વાતનું એમને વિસ્મરણ થઈ જાય છે. વસ્તુતઃ બહારવટે નીકળેલા આ નિહનવોને માથે અનેકાંત કે સ્યાદ્વાદનો જ ધ્વજ લહેરાતો હોય છે પણ જાણે કે એમનો અભિનિવેશ એમને પોતાની પરિસ્થિતિ સમજવા દેતો નથી. આખરે આ બીજા સાર્વભૌમ જેવા હોવાનો દેખાવ કરનારા નિહનવોમાંના કેટલાકો તો એક સામાન્ય સૈનિક-શ્રાવકના હાથથી પરાભૂત બની અભિનિવેશને ઓગાળી દઈ સંઘનું શરણ સ્વીકારી લે છે. કોઈ કહેશે કે નિર્નવ જેવા બારવટીયાના ઈતિહાસ કે પ્રબંધમાંથી લોકોને નવો શું પ્રકાશ મળવાનો હતો ? બારવટાના એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001215
Book TitleNihnavavada
Original Sutra AuthorN/A
AuthorDharmdhurandharsuri
PublisherSankheshwar Parshwanath Jain Derasarni Pedhi Mumbai
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Story
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy