________________
શ્રી રાજચંદ્રની જીવનયાત્રા
“રાત પૂરી થઈ, નો દિવસ આવ્યો, ગયા દિવસ ઉપર નજર નાખી જાઓ અને નિષ્ફળ ગુયેલા વખત માટે વિચાર કરો, કરવાનાં કામેની બાબતમાં સમય, શક્તિ અને પરિણામ તપાસી લો, વખત અમૂલ્ય છે એ યાદ રાખો અને અયોગ્ય રીતે કે શક્તિનો ઉપયોગ ન થાય તેની કાળજી રાખો”—એવો સર્વમાન્ય ઉપદેશ છે.
પછી, રાજા, શ્રીમંત, વેપારી, બાળક, યુવાન, વૃદ્ધ, સ્ત્રી, કૃપણ, ભાગ્યશાળી, ધર્માચાર્ય, અનુચર, દુરાચારી, દુઃખી, વગેરેને તેમની ફરજો અને મર્યાદા બતાવી, જાતિ અને ધર્માનુસાર પિોતપોતાનાં કૃત્ય કરવાની સલાહ આપી છે. - ત્યાર બાદ, ખાવાપીવામાં મિતાહારી થવાનું, તથા કામભોગોમાં સંયમી થવાનું સૂચવી, જીવનના અંતિમ લક્ષ્ય પ્રત્યે પણ દુર્લક્ષ ન કરવાની તાકીદ આપી છે. ધર્મનું મૂળ સપુરોનો વ્યવહાર છે; જુદા જુદા ધર્મોમાં માત્ર દષ્ટિભેદ છે, તાત્વિક ભેદ નથી; ધાર્મિક જીવનમાં આવશ્યક વસ્તુ અમુક મત કે સંપ્રદાયમાં હોવાપણું નથી, પરંતુ સંસારમળ નાશ થાય તેવી ભક્તિ, નીતિ અને સદાચારની ક્રિયાઓ છે; અને તેને માટે ઓછામાં ઓછી અર્ધી પ્રહર પણ આપ જોઈએ એમ સૂચવ્યું છે. તથા વાસ્તવિક આત્મચિંતન જે થયું તેટલા પૂરતો જ આજનો દિવસ સફળ થયે એમ જણાવી, સૂતી વખતે ફરી પિતાનાં કામેનો હિસાબ કાઢવાનું સૂચવી માળા પૂરી કરી છે.
“પુષ્પમાળા' પછીનું તેમનું તે સમયનું પ્રસિદ્ધ પુસ્તક “મોક્ષમાળા’ છે. તે તેમણે ૧૬ વર્ષ અને પાંચ માસની ઉંમરે ત્રણ દિવસમાં લખ્યું હતું. તે પુસ્તક વિષે તે પિતે જણાવે છે: “તત્ત્વજ્ઞાન પામવાની જિજ્ઞાસા લોકોમાં ઉત્પન્ન થાય તે માટે તત્ત્વજ્ઞાન અને શીલને બોધ આપવાના ઉદ્દેશથી આ ૧૦૮ પાઠ લખેલા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org