SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પરિચયો અને પ્રસંગે સ્ત્રી અને લક્ષ્મીનો ત્યાગ કર્યો હતો તથા તબિયત સારી થતાં માતાજીની રજા મળે સંન્યાસ લેવાનું ધાર્યું હતું, તે વાત આગળ આવી ગઈ છે. ત્યાંથી શ્રી રાજચંદ્ર વઢવાણ ગયા હતા. ત્યાંના નિવાસ દરમ્યાન તેમણે “પરમશ્રુતપ્રભાવક મંડળની સ્થાપના કરી. એક સારી રકમની ટીપ કરી, તેમાંથી મહાન આચાર્યોના અપ્રસિદ્ધ ગ્રન્થો પ્રસિદ્ધ કરાવી લોકોમાં તત્ત્વવિચારનો ફેલાવો કરવો એ તેને હેતુ હતો. તે સંસ્થાને વહીવટ હાલ સ્વ. રેવાશંકરભાઈના પુત્ર શેઠ મણિલાલ ચલાવે છે. શ્રી રાજચંદ્ર લક્ષ્મીને ત્યાગ કર્યા પછી બહુ બારીકાઈથી તે વ્રત પાળતા. તેને અંગે, પ્રભાવક મંડળનાં નાણાંની વાતમાં ભળવું પડે તો તેને પણ તે અતિચારરૂપે લેખતા. પરંતુ આ અરસામાં તેમની તબિયત ધીરે ધીરે બગડતી જ ચાલી. હવાફેર માટે તેમને દરિયાકિનારે મુંબઈ, માટુંગા, શિવ અને નવસારી તરફ લઈ જવામાં આવ્યા. ત્યાંથી પછી વઢવાણ અને મેરબીમાં આણવામાં આવ્યા. તેમના પદ્માસન અને કાઉસગ્નમુદ્રાને બન્ને ફેટા વઢવાણમાં જ આ અરસામાં લેવામાં આવ્યા હતા. પછી તે રાજકોટ ગયા. અશક્તિને લીધે દાક્તરાએ શ્રી રાજચંદ્રને વાતચીત પણ વિશેષ ન કરાવવાની તજવીજ રખાવી હતી. તેમના નાના ભાઈ મનસુખભાઈ તથા શ્રી. રેવાશંકરભાઈ, ડે. પ્રાણજીવનદાસ, લીમડીવાળા મનસુખભાઈ વગેરે તેમની સારવારમાં હતા. પરંતુ તે બધાની પ્રેમ અને કાળજીભરી સારવાર પણ ગમનભુખ આત્માને રોકી શકી નહિ. તેમની અંતિમ અવસ્થાનું વર્ણન શ્રી. મનસુખભાઈ આ પ્રમાણે કરે છેઃ છેવટની પળ સુધી અસાવધ રહ્યો. તે પવિત્રાત્માએ આડકતરી રીતે ચેતવ્યું તથાપિ રાગને લઈને હું સમજી શકો નહિ. . . . દેહત્યાગના આગલા દિવસે સાયંકાળે રેવાશંકરભાઈ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy