SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પરિચયા અને પ્રસગા જ રહ્યા. ખેડાથી શ્રી રાજચંદ્ર મહેમદાવાદ સ્ટેશને થઈ મુંબઈ ગયા હતા. શ્રી રાજચંદ્રના કાકાસસરા ડૉ. પ્રાણજીવનદાસ જગવનદાસ મહેતા ઈડર સ્ટેટના ચીફ્ મેડિકલ ઓફિસર હતા. સં. ૧૯૫૫માં નિવૃત્તિને અર્થે શ્રી રાજચંદ્ર ત્યાં આવ્યા હતા. ગામમાં માત્ર બાજન જેટલા કાળ દિવસે ગાળતા. ઘણાખરા વખત ઈડરના પહાડ અને જંગલેામાં પસાર કરતા. શ્રી રાજચંદ્રની મનાઈ હોવાથી જનસમાજમાં તેમના આગમન વિષે કાંઈ વાત બહાર પાડવામાં આવી નહેાતી. ઈડરના મહારાજા સાથે શ્રી રાજચંદ્રને રાજધમ વિષે વાતચીત થઈ હતી. ઈડરનાં ઐતિહાસિક સ્થળેા, તેમાં વસનારા પ્રાચીન લેાકાની વિજયી સ્થિતિ, જૈન ધર્મ તેમ જ અન્ય ધર્મોમાં યાગ્ય મહાપુરુષોને અભાવે આવી ગયેલી શિથિલતા ઇત્યાદિ વિષે શ્રી રાજચન્દ્રે પેાતાના વિચારે તેમની આગળ વ્યક્ત કર્યાં હતા. શ્રી. રાજચંદ્રના ઈડરનિવાસની ખબર મળતાં શ્રી લલ્લુજી આદિ મુનિએ ત્વરાથી ત્યાં આવી પહોંચ્યા. શ્રી રાજચંદ્રને તદ્દન એકાંત જોઈતુ હતુ. એટલે આવા પ્રસંગની તેમને ઋચ્છા નહેતી. છતાં પે।તે કરવા જાય ત્યારે બહાર જંગલમાં અમુક સ્થળે મળવા આવવાની તેમણે તેમને રજા આપી. શ્રી રાજા પહેલેથી અપરિચિત માર્ગોમાં મેાટે અવાજે ગાથાઓની ધૂન લગાવતા ફરવા નીકળી જતા, અને નિયત સ્થળે વખત થતાં આવી પહોંચતા. એક વેળા તેા નીચેની ગાથાઓનું રટણ લગભગ એક કલાક ચાલ્યુ હતુંઃ मा मुज्झह, मा रज्जह, मा दुस्सह इट्ठनिहभट्ठेसु । थिरमिच्छह जइ વિર Jain Education International ૬૭ વિજિજ્ઞાબવસિત્ ॥ ૧૮ ૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy