SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પરિચય અને પ્રસંગે એક અંબાલાલને પિતાને આપી. તે ગ્રંથ સં. ૧૯૫રની શરદ પૂર્ણિમાને બીજે દિવસે લખાયે. તત્ત્વજ્ઞાન જેવા ગંભીર વિષયને સરળ પદ્યમાં નાના તથા મેટા સમજી શકે તેવી રોચક ભાષામાં કેમ ઉતારી શકાય તેનો તે એક આદર્શ નમૂનો છે. “મોક્ષમાળા' જેમ ધર્મની જિજ્ઞાસા ઉત્પન્ન કરાવવાના હેતુથી લખાઈ છે, તેમ શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર આત્માને નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાયું છે. તેમાં વિષયની વિવિધતા નથી, તેમ જ દાર્જીતિક કથા કે વર્ણનો નથી. બહુ સૂક્ષ્મ ચર્ચા કે તર્કમાં વાંચનાર ગૂંચવાઈ થાકી ન જાય તેવી રીતે તેમાં “આમતવ”ની સિદ્ધિ તથા નિરૂપણ કરેલું છે. “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” વાંચતાં પોતાના ઉપર થયેલી અસર શ્રી સેભાગ્યભાઈએ આ પ્રમાણે વર્ણવી બતાવી છેઃ “તે ઉત્તમોત્તમ શાસ્ત્ર વિચારતાં મારા મન, વચન, કાયાના યોગ સહેજે . . . આત્મવિચારમાં પ્રવર્તતા હતા. . . . બાહ્ય પ્રવર્તવામાં મારી ચિત્તવૃત્તિ સહેજે અટકી ગઈ. . . . આત્મવિચારમાં (જ) રહેવા લાગી. ઘણા પરિશ્રમથી મારાં મનવચનકાયા અપૂર્વ આત્મપદાર્થ વિષે પરમ પ્રેમે સ્થિર નહિ રહી શકેલાં તે આ શાસ્ત્ર વિચારવાથી સહજ સ્વભાવે આત્મવિચારમાં તથા સશુરુચરણમાં પ્રેમયુક્ત સ્થિર ભાવે રહેવા લાગ્યાં.” શ્રી લલ્લુજી લખે છેઃ “તે વાંચતાં અને કઈ કઈ ગાથા બોલતાં મારા આત્મામાં આનંદની ઊભરા આવતા. . . . શ્રી આત્મસિદ્ધિશાસ્ત્રને સ્વાધ્યાય – મનન - નિરંતર રહ્યા કરી આત્મોલ્લાસ થતો. કોઈની સાથે કે બીજી ક્રિયા કરતાં “આત્મસિદ્ધિ”ની સ્મૃતિ રહેતી. . . . અન્ય કશું ગમતું નહિ. બીજી વાતો ઉપર તુચ્છભાવ રહ્યા કરતો.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy