SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રાજચંદ્રની જીવનયાત્રા અજાણપણે એકાંતમાં રહ્યા હતા. ૧૯૫૧ના આસો માસમાં તે ફરી ખંભાત આવ્યા હતા અને ૧૯૫૨માં અઢી માસની નિવૃત્તિ લઈ ચરોતરમાં રહ્યા હતા. બાર દિવસ અગાસ પાસે કાવિઠામાં રહ્યા હતા. પછી રાળજમાં આઠ દિવસ રહ્યા હતા. તે વખતે લલ્લુજી ચાતુર્માસ ખંભાતમાં કરતા હતા. સાધુથી તે અરસામાં એક ગામ છોડી બીજે ગામ ન જવાય એટલે લલ્લુજી ગામને પાદરે ખેતરોમાં ઊભા રહેતા. પછીથી શ્રી રાજચંદ્ર પોતે જ વડવા મુકામે ગયા હતા. કાવિઠામાં તે એકલા જ ખેતરમાં વિચરતા. કોઈ પ્રસંગે માણસે એકઠા થઈ જાય તે સહેજે કાંઈ ઉપદેશ આપતા. રાળજમાં પણ તેવી રીતે બેધના પ્રસંગે બનેલા. અને વડવામાં તે ખંભાતના ઘણા ઓળખીતા મુમુક્ષુઓ આવતા હોવાથી તેવા પ્રસંગે ઘણા બનતા. શ્રી અંબાલાલભાઈએ તે બધા પ્રસંગોની જે નોંધ રાખેલી તે “શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથમાં “ઉપદેશછાયા' નામથી પ્રસિદ્ધ વડવાથી શ્રીમદ્ રાજચંદ્ર આણંદ આવી થોડા દિવસ રહ્યા હતા. તે વખતે આપેલો બાધ પણ “ઉપદેશછાયા'માં છપાયે છે. આણંદથી શ્રીમદ્ રાજચંદ્ર નડિયાદ પધાર્યા હતા. શ્રી અંબાલાલભાઈ તેમની સરભરામાં સાથે રહેતા. એક દિવસ શ્રી રાજચંદ્ર બહાર ફરવા ગયા હતા. ત્યાંથી બંગલે પાછા આવ્યા ત્યારે સાંજ પડી ગઈ હતી. ફાનસ મંગાવી તેઓશ્રી લખવા બેઠા અને શ્રી અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. કલમ ચાલી તે ચાલી. ૧૪૨ ગાથાઓ પૂરી થઈ રહી ત્યાં સુધી શ્રી અંબાલાલ ફાનસ ધરી ઊભા રહ્યા. એ ગાથાઓ તે “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર.” - શ્રી રાજચંદ્ર તેની ચાર નકલો કરાવી અને એક શ્રી ભાગ્યભાઈને, એક શ્રી લલ્લુજીને, એક ઝવેરી માણેકલાલ ઘેલાભાઈને અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy