SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કેટલાક પરિચય અને પ્રસંગે એ અરસામાં મૃત્યુ પામ્યા. શ્રી લલ્લુજીને પણ તે અરસામાં દશબાર માસથી મંદવાડ રહ્યા કરતો હતો. અને ઘણું ઉપચાર છતાં કંઈ ફાયદો થતો નહિ. એટલે તેમણે પોતાનો દેહ પણ છૂટી જશે એવી ચિંતાથી શ્રી રાજચંદ્રને પત્ર લખ્યો, “ હે નાથ ! હવે આ દેહ બચે તેમ નથી અને હું સમકત પામ્યા વિના જઈશ તો મારો મનુષ્યભવ વૃથા જશે.” તેના ઉત્તરમાં શ્રી રાજચંદ્ર તેમને “છ પદ’નો પત્ર લખ્યો અને સાથે જણાવ્યું કે હાલમાં દેહ છૂટવાની બીક રાખવી નહિ. પછી શ્રી રાજચંદ્ર સૂરત પધાર્યા ત્યારે તે “છ પદ’ના પત્રનું વિશેષ વિવેચન કરી તેને પરમાર્થ શ્રી લલ્લુજીને સમજાવ્યો અને તે પત્ર વારંવાર મુખપાઠ કરી વિચારવાની ભલામણ કરી. તે પત્ર એક સ્વતંત્ર પ્રકરણ જે, સૂત્રાત્મક શિલીથી લખાયેલો છે. જૈન ધર્મનાં સાત તોમાંથી પ્રથમ તત્વ આત્મા, તેનું એાળખાણું થવા માટે, આત્મા છે,” “આત્મા નિત્ય છે,” “આભા કર્તા છે,” “આત્મા ભોક્તા છે,” “મોક્ષ છે, અને તે “મોક્ષનો ઉપાય છે” એ છે પદથી તે પત્રમાં અપૂર્વ નિરૂપણ કરેલું છે. તે પત્ર શ્રી રાજચંદ્ર સોભાગ્યભાઈને પણ મોકલાવેલો. તેમણે સહેલાઈથી મુખપાઠ થઈ શકે માટે તેને પદ્યમાં લખી આપવા શ્રી રાજચંદ્રને વિનંતિ કરેલી અને શ્રી રાજચંદ્ર “શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર” રચેલું એ વાત આગળ કહેવાઈ ગઈ છે. શ્રી રાજચંદ્ર પિતાની વ્યાપારિક પ્રવૃત્તિમાંથી વચ્ચે વચ્ચે નિવૃત્તિ લઈ થોડે વખત એકાંતમાં ગાળવા મુંબઈ છેડી ગુજરાત કાઠિયાવાડમાં આવતા. તે પ્રમાણે સૂરત, કઠોર વગેરે સ્થળોએ તે આવી ગયા હતા. શ્રી લલ્લુજી એ અરસામાં તે તે સ્થળે હતા અથવા આવીને તેમનો સમાગમ કરતા. શ્રી રાજચંદ્ર ૧૯૪૬માં ખંભાત એક અઠવાડિયું રહી ગયાની વાત આવી ગઈ છે. ૧૯૪૭માં તે ખંભાતથી થોડે દૂર રાળજમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy