SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ વાનગર શકતું નથી. અનેક ઉપચારે અને સારવાર છતાં તે વધારે ને વધારે લથડતું જ જાય છે. તેમના એક ચારિત્રનિરૂપક લખે છે: “ધર્માનુસાર યોગ્ય ગાહેશ્ચના સુવિપાકરૂપ વાનપ્રશ્ય અને સંન્યાસ તેમને યોગ્ય કાળે હવે સાંપડ્યાં હતાં અને સહજભાવે તેમણે તે ગ્રહણ કરવાનું મન કર્યું. પણ યુગ એવો કે ૩૨માં વર્ષમાં તે માંદા પડ્યા અને એ માંદગી જીવલેણ નીવડી. અનેક ઉપાય અને બરદાસચાકરી છતાં તેમને સારું ન જ થયું અને તેમણે સં. ૧૯૫૭ના ચૈત્ર વદ અને દિવસે દેહ છોડ્યો. આટલું ટૂંકું આયુ ભોગવી તે સ્વધામ પધાર્યા. . . . એમ જ લાગે છે કે જાણે અસત્ય સામે ઝૂઝતાં તેમણે શરીરને સાવ ઘસી નાખ્યું. ચિત્તશક્તિ અને જિજ્ઞાસા દિનપ્રતિદિન સતેજ થતાં જતાં હતાં પણ શરીર તેની સાથે ન ટકી શક્યું. તેમની કેડે ઘસડાવામાં તે વચ્ચે ભાંગી પડ્યું.” મૃત્યુ પહેલાં એક માસ પૂર્વે શ્રીમદ રાજચંદ્ર લખેલાં “અંતિમ વચનો’માં એ જ પળે આ પણને સંભળાય છે: ઘણું ત્વરાથી પ્રવાસ પૂરો કરવાને હતો, ત્યાં વચ્ચે સહરાનું રણ સંપ્રાપ્ત થયું. માથે ઘણે બીજે રહ્યો હતો. તે આત્મવીર્યો કરી જેમ અ૫ કાળે વેદી લેવાય તેમ પ્રધટન કરતાં પગે નિકાચિત ઉદયમાન થાક ગ્રહણ કર્યો.” ૪૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy