SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ નીચેના એક ઉતારામાં, તેમણે પોતાનાં કૌટુંબિક કે આર્થિક સંબંધીઓ સાથે કેવી રીતે વર્તન રાખવું, તેની સૂક્ષ્મ ચર્ચા કરી જે નિર્ણય કરેલો, તે આપણને જોવા મળે છે. તે ઉપરથી, પિતાની આંતર મનોદશા બદલાવા છતાં જૂની જવાબદારીઓ કેવી રીતે અદા કરવી અને અદ્રોહ તથા અહિંસા સાચવવાં તે વિષેનો તેમનો ખ્યાલ જોઈ શકાશે. તે પિતાને સંબોધીને લખે છે: “તે વ્યવહારમાં જેનાથી જેડાયો હોય તેનાથી અમુક પ્રકારે વર્તવાનો નિર્ણય કરી તેને જણાવ. તેને અનુકૂળ આવે તો તેમ, નહિ તે તે જણાવે તેમ પ્રવર્તજે. સાથે જણાવજે કે તમારા કાર્યમાં કઈ રીતે મારી નિષ્ઠાથી કરીને હાનિ નહિ પહોંચાડું. . . . માત્ર તમારી પાસે એટલું ઈચ્છું છું કે કોઈ પણ પ્રકારે તમે મને નિમિત્ત રાખી અશુભ યોગમાં પ્રવૃત્તિ કરશો નહિ. તમારી ઈચ્છાનુસાર તમે વર્ત. . . . માત્ર મને મારી નિવૃત્તિ શ્રેણીમાં વર્તવા દેતાં કઈ રીતે તમારું અંતઃકરણ ટૂંકું કરશો નહિ. અને ટૂંકું કરવા જે તમારી ઈચ્છા હોય તો ખચીત કરીને મને આગળથી જણાવી દેજે. તે શ્રેણુને સાચવવા મારી ઈચ્છા છે અને તે માટે એથી હું યોગ્ય કરી લઈશ. મારું ચાલતાં સુધી તમને દૂભવીશ નહિ. અને છેવટે નિવૃત્તિ શ્રેણી તમને અપ્રિય હશે તો પણ હું જેમ બનશે તેમ જાળવણથી, તમારી સમીપથી, તમને કોઈ પણ જાતની હાનિ કર્યા વગર, બનતો લાભ કરીને . . . ખસી જઈશ.” Yક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy