SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ બ્રહ્મચર્ય ૧. જેમ બને તેમ, સ્વપત્ની સંબંધી પણ વિષયાસક્ત છે રહેજે. આત્મિક અને શારીરિક શક્તિની દિવ્યતાનું તે મૂળ છે, એ જ્ઞાનીઓનું અનુભવસિદ્ધ વચન છે. (૧૬ પહેલાં) ૨. યોગ્યતા માટે બ્રહ્મચર્ય એ મોટું સાધન છે. (૧૯૪૭) ૩. ઘણે સ્થળે વિચારવાન પુરુષોએ એમ કહ્યું છે કે, જ્ઞાન થયે કામ, ક્રોધ, તૃષ્ણદિ ભાવ નિર્મૂળ થાય; તે સત્ય છે, તથાપિ તે વચનનો એવો પરમાર્થ નથી કે, જ્ઞાન થયા પ્રથમ તે મેળાં ન પડે કે ઓછાં ન થાય. મૂળસહિત છે તે જ્ઞાન કરીને થાય. પણ કપાયાદિનું મેળાપણું કે છાપણું ન થાય ત્યાં સુધી જ્ઞાન ઘણું કરીને ઉત્પન્ન જ ન થાય. જ્ઞાન પ્રાપ્ત થવામાં વિચાર મુખ્ય સાધન છે, અને તે વિચારને વૈરાગ્ય (ભગ પ્રત્યે અનાસક્તિ ) તથા ઉપશમ ( કષાયાદિનું ઘણું જ મંદપણું, તે પ્રત્યે વિશેષ ખેદ) બે મુખ્ય આધાર છે. એમ જાણ તેનો નિરંતર લક્ષ રાખી તેવી પરિણતિ કરવી ઘટે. (૧૯૫૨) ૪. મહા રૌદ્ર એવું બ્રહ્મચર્ય, પ્રમાદને રહેવાનું સ્થળ, ચાચિને નાશ કરનાર, તે આ જગતમાં મુનિ આચરે નહિ. અધર્મનું મૂળ, મહા દોષની જન્મભૂમિકા એવા જે મૈથુનના આલાપપ્રલાપ તેને નિગ્રંથ ત્યાગ કરવો. (૧૬ પહેલાં) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001210
Book TitleRajchandra
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherGujarat Vidyapith Ahmedabad
Publication Year2000
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati, Biography, Literature, & Rajchandra
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy