SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ આસ્તિક અને નાસ્તિક શબ્દની મીમાંસા • ૮૭ મિશ્રાદષ્ટિ તરીકે ઓળખાવ્યો. આ રીતે જેમ સંસ્કતજીવી વિદ્વાનોએ પોતાના પક્ષ માટે આસ્તિક અને પોતાથી ભિન પક્ષ માટે નાસ્તિક એ શબ્દો વ્યવહાર ખાતર યોજ્યા હતા તેમ પ્રાકૃતજીવી જૈન અને બૌદ્ધ તપસ્વીઓએ પણ પોતાના પક્ષ માટે સમ્યગ્દષ્ટિ (સમ્માદિટ્ટિ) અને પોતાથી ભિન્ન પક્ષ માટે મિથ્યાષ્ટિ ( મિચ્છદિટ્ટિ) શબ્દ યોજ્યા, પણ એટલાથી કંઈ અંત આવે તેમ થોડું હતું? મત અને મતભેદનું વટવૃક્ષ તો જમાના સાથે જ ફેલાતું જાય છે, એટલે જૈન અને બૌદ્ધ બંને વેદવિરોધી હોવા છતાં તે બંને વચ્ચે પણ પ્રબળ મતભેદ હતો. તેથી જેનોએ માત્ર પોતાના જ પક્ષને સમ્યગ્દષ્ટિ કહી વેદનું પ્રામાણ્ય ન સ્વીકારવામાં સગા ભાઈ જેવા પોતાના બૌદ્ધ મિત્રને પણ મિથ્યાષ્ટિ કહ્યા. એ જ રીતે બૌદ્ધોએ માત્ર પોતાને સમ્યગ્દષ્ટિ અને પોતાના મોટા ભાઈ જેવા જેને પક્ષને મિથ્યાદૃષ્ટિ કહ્યો. ખરી રીતે જેમ આસ્તિક અને નાસ્તિક તેમ સમ્યગ્દષ્ટિ અને મિથ્યાષ્ટિ એ બે શબ્દો પણ ફક્ત અમુક અંશે ભિન્ન માન્યતા ધરાવનાર બે પક્ષો પૂરતા જ હતા, જેમાં એક અપક્ષ અને એક પરપક્ષ. દરેક પોતાના પક્ષને આસ્તિક કે સમ્યગ્દષ્ટિ કહે અને પરપક્ષને નાસ્તિક કે મિથ્યાદૃષ્ટિ તરીકે ગણાવે. અહીં સુધી તો સામાન્ય ભાવ કહેવાય. પણ મનુષ્યપ્રકૃતિમાં જેમ મીઠાશ તેમ કડવાશનું પણ તત્ત્વ છે. આ તત્ત્વ દરેક જમાનામાં ઓછુંવતું દેખાય છે. શબ્દો કાંઈ જાતે સારા કે નરસા નથી હોતા. તેના મધુરપણા અને કડવાપણાનો અથવા તો તેની પ્રિયતા અને અપ્રિયતાનો આધાર તેની પાછળના મનોભાવ ઉપર અવલંબિત હોય છે. આ વસ્તુ આપણે થોડાક દાખલાઓથી વધારે સ્પષ્ટ કરીને સમજી શકીશું. નાગો, લુચ્ચો અને બાવો એ શબ્દો લો અને વિચારો. નાગો સંસ્કૃતમાં નગ્ન અને પ્રાકૃતમાં નગિણ. લુચ્ચો સંસ્કૃતમાં લુંચક અને પ્રાકૃતમાં લંચઓ. બાવો સંસ્કૃતમાં વસ્તા અને પ્રાકૃતમાં વપ્પા અથવા બપ્પા. જે માત્ર કુટુંબ અને માલમતા જ નહિ, પણ કપડાં સુધ્ધાંનો તદન ત્યાગ કરી આત્મશોધન માટે નિર્મમત્વવત ધારણ કરતો અને મહાન આદર્શ નજર સામે રાખી જંગલમાં એકાકી સિંહની પેઠે વિચરતો તે પૂજ્ય પુરુષ નગ્ન કહેવાતો. ભગવાન મહાવીર આ જ અર્થમાં નગ્ન તરીકે પ્રખ્યાતિ પામ્યા છે. પરિગ્રહનો ત્યાગ કરી અને દેહદમનનું વ્રત સ્વીકારી આત્મસાધના માટે જે ત્યાગી થતો અને પોતાના મસ્તકના વાળને પોતાને જ હાથે ખેંચી કાઢતો તે લુંચક અર્થાત્ લોચ કરનાર કહેવાતો. આમ એ શબ્દ શુદ્ધ ત્યાગ અને દેહદમન સૂચવનાર હતો. હપ્તા એટલે સર્જક અને સર્જક એટલે વડીલ અને સંતાનનો પૂજ્ય. આ અર્થમાં બપ્પા અને બાવા શબ્દ વપરાતો, પરંતુ હંમેશાં શબ્દોના વપરાશની મર્યાદા એકસરખી નથી રહેતી. તેનું ક્ષેત્ર નાનુંમોટું અને વખતે વિકૃત થઈ જાય છે. નગ્ન એટલે વસ્ત્રરહિત તપસ્વી; ને આવો તપસ્વી એટલે માત્ર એક કુટુંબ અગર એક જ પરિવારની જવાબદારી છોડી વસુધાકૌટુંબિક બનનાર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy