SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ હિંસાની એક આડકતરી પ્રતિષ્ઠા ૦ ૮૧ સંપૂર્ણપણે અમલમાં મૂકનાર તરીકે નથી ઓળખાવતા, તો પછી એ પદ્ધતિને એ દૃષ્ટિએ વગોવવી તે બેહૂદું નહિ તો શું છે ? વ્યવહારુ દૃષ્ટિએ પણ કોઈ એક વ્યક્તિ પાસેથી યા આખા સમાજ પાસેથી ગાંધીજીએ સંપૂર્ણ અહિંસા-પાલનની આશા રાખી જ નથી. તેઓ પોતે પણ પોતાને સંપૂર્ણપણે અહિંસાના આચરનાર તરીકે ઓળખાવતા નહિ એવી સ્થિતિમાં સંપૂર્ણપણે વ્યક્તિ કે સમાજ અહિંસા આચરી ન શકે એમ બતાવી વ્યવહારુ દૃષ્ટિએ પણ અહિંસક પદ્ધતિની ખામી બતાવવી એ નર્યું અજ્ઞાન છે. પ્રકૃતિના બંધારણમાં જ હિંસાને સ્થાન છે એમ કહી પુરાણી હિંસા વિના જીવનને અશક્ય બતાવે છે, તે પણ હિંસા કે અહિંસાના અર્થનો વિપર્યાસ કરવા બરાબર છે. અહિંસાને સિદ્ધ કરનાર સંતો પ્રકૃતિના બંધારણની વાત બરાબર જાણતા, તેથી જ તેમણે પ્રકૃતિના તંત્રમાં રહેનાર દરેકને માટે એટલું જ સૂચવ્યું છે કે માણસ પોતાના પ્રત્યે બીજાની પાસેથી જે અને જેવા વ્યવહારની આશા રાખે છે અને તેવો જ વ્યવહાર તેણે બીજા પ્રત્યે આચરવો. આવી આત્મૌપમ્પની સાચી ભાવનાને પ્રામાણિકપણે અમલમાં મૂકવી અને ઉત્તરોત્તર વિકસાવવી તે જ વાસ્તવિક અહિંસા છે. સંતોએ અહિંસાના અનુભવેલ અને બતાવેલ આ સ્વરૂપમાં ઓછા કે વત્તા, નાના કે મોટા જીવોના નાશ ઉપર ઓછીવત્તી કે નાનીમોટી હિંસાની ગણતરીને સ્થાન નથી. અહિંસાના ઉપર સૂચવેલા સ્વરૂપમાં બીજા પ્રાણી પ્રત્યે સમદષ્ટિ કેળવવી એ એક જ વસ્તુ મુખ્યપણે સમાયેલી છે. સમદષ્ટિ દ્વારા જ પ્રકૃતિના આસુરી બંધારણમાંથી દૈવી સ્વરૂપ તરફ આગળ વધાય છે, એ ગીતામાં ઠેર ઠેર કહ્યું છે. એટલે પોતાના અને બીજાના વચ્ચે વિષમદૃષ્ટિમૂલક વ્યવહાર તે હિંસા અને સમદષ્ટિમૂલક વ્યવહાર તે અહિંસા, આ વસ્તુ સર્વમાન્ય છે. કોઈ પણ પ્રાણીનો દેખીતો નાશ ન થતો હોય ત્યારે પણ હિંસા સંભવે અને ઘણી વાર દેખીતો નાશ થતો હોય છતાં તેમાં હિંસા ન પણ હોય. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં માત્ર પ્રાણીવધ કે જીવનાશને જ હિંસા માની જીવન જીવવામાં અહિંસાની અશક્યતા બતાવવી એ તો દૈવી પ્રકૃતિનો અગર તે તરફ પ્રયાણ કરવાનો ઇનકાર કરવા બરાબર છે. બીજા મુદ્દાના સંબંધમાં આધ્યાત્મિક સત્ય તરીકે અહિંસાનું જે મૂલ્યાંકન પુરાણીએ કર્યું છે તે સાચું છે. તેઓ કહે છે કે, “આધ્યાત્મિક ઉન્નતિને માટે અહિંસાનું આચરણ કરનાર માણસ એક એવી ચેતનાવસ્થાને પહોંચવા માગે છે, જેમાં સર્વ પ્રકારનાં પ્રેરક અને ઉત્તેજક કારણોની વચ્ચે પણ પોતે શાંત અને અહિંસામય રહી શકે. એની દષ્ટિએ અંતરની અહિંસાવાળી સ્થિતિ જાળવવી એ જ મુખ્ય ધ્યેય છે. અંતરની અહિંસામય સ્થિતિનો જરા પણ ભંગ ન થાય એ એને મન અતિ આવશ્યક છે. અહિંસાના પાલનથી કોઈ બાહ્ય પરિણામો આવે છે કે નહિ એ બાબત એને મન ગૌણ હોય છે. આધ્યાત્મિક સત્ય લેખે ગાંધીજીમાં અહિંસા સિદ્ધ થઈ હતી કે નહિ તેની સાબિતી અનેક પ્રસંગે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy