SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ • પરિશીલન તરીકે શીલવાન થવા ઉપર ભાર આપ્યો. ગૃહસ્થ હોય કે ભિક્ષુ, જો એ દુઃશીલ હશે, સદાચારી નહિ હોય, સામૂહિક હિતમાં પોતાનું હિત સમાયું છે એ દૃષ્ટિથી નહિ વર્તે તો તે ધર્મમાર્ગે કદી આગળ વધી નહિ શકે. શીલ, સમાધિ, પ્રજ્ઞા બુદ્ધે જ્યારે શીલ ઉપર ભાર આપ્યો ત્યારે માનસિક શુદ્ધિને અગ્રસ્થાન આપ્યું. માનસિક શદ્ધિ ન સધાતી હોય, ચિત્તમાંથી ક્લેશ નબળા પડતા ન હોય તો ગમે તેવા કઠોરતમ તપ આદિ ધાર્મિક આચારોને પણ અનુસરવાની બુદ્ધે ના પાડી. બુદ્ધનો ઉત્કટ તપ યા બીજા પ્રકારના દેહદમન સામે વિરોધ હતો તો તેના મૂળમાં તેની દૃષ્ટિ એટલી જ હતી કે અંતઃશુદ્ધિ ન સધાતી હોય તો બાહ્ય ધર્માચારનો કાંઈ અર્થ નથી. આ રીતે બુદ્ધ શીલ, સમાધિ અને પ્રજ્ઞાના ધર્માચાર પરત્વે પણ મધ્યમમાર્ગ જ સ્વીકાર્યો, જે એના મધ્યમમાર્ગી તત્ત્વજ્ઞાનના સિદ્ધાંત સાથે બરાબર સંવાદ ધરાવે છે. બુદ્ધે જીવનતત્ત્વ ત્રિકાળસ્પર્શી માન્યું, છતાં વર્તમાન જીવન ઉપર દષ્ટિને કેન્દ્રિત કરવા માટે વધારે ભાર આપ્યો. આ ભાર ભૌતિકસુખવાદી લોકાયત દ્વારા અપાતા ભારથી જુદો છે. લોકાયત તો એટલું જ કહે કે તમારા હાથમાં જીવન આવ્યું છે તો એ મણાય એટલું માણી લો. તેનો ભાર ઇન્દ્રિયસુખ અને શરીરસુખને માણી લેવા ઉપર રહેતો. બુદ્ધ પણ વર્તમાન જીવનને માણી લેવાની વાત કહે છે, પણ તે જુદા દષ્ટિબિંદુથી અને જુદી ભૂમિકા ઉપરથી. તે કહે છે કે ભૂતકાળ તો ગયો. હવે હજાર ઉપાયે એ સુલભ નથી. ભાવી પણ અત્યારે હસ્તગત નથી અને હસ્તગત થયું કે તરત જ તે વર્તમાન બનવાનું. એટલે જે કાંઈ હાથમાં છે અને સ્વાધીન છે તે તો વર્તમાન જીવન આવા દુર્લભ અને ફરી ન લાધનાર વર્તમાન જીવનને કેવળ સ્થૂળ ભોગના સુખ માટે વેડફી નાખવું તેના કરતાં તેમાં સાચું, નિબંધ અને કોઈને ઉપદ્રવ ન કરે એવું સુખ અનુભવવું એ જ મારા મધ્યમમાર્ગી ધર્મનો મુખ્ય સૂર છે. તેથી જ હું કહું છું કે તમે શીલ દ્વારા અનુભવાતી નિર્ભયતાના સુખને આ જીવનમાં જ માણી લો. તેથી જ હું કહું છું કે સમાધિસુખ આ જીવનમાં જ અનુભવો અને પ્રજ્ઞા પ્રકાશનો આનંદ પણ આ જીવનમાં જ અનુભવો. એક વાર રાજગૃહપતિ અજાતશત્રુ, અપરનામ કોણિક, બુદ્ધને મળવા જાય છે અને પ્રશ્ન કરે છે કે શ્રમણત્વથી પ્રત્યક્ષ લાભ શો? એ પ્રશ્ન તત્કાલીન વાતાવરણમાંથી ઉપસ્થિત થયો છે. તે કાળે ભિક્ષુ અને અન્ય અનેક સાધકો હતા, જે પોતપોતાની ઉત્કટ ધર્મસાધના ઉચ્ચ અને ઉચ્ચતર એવા પરલોકની સિદ્ધિ અર્થે કરતા. આ બાબતમાં બુદ્ધનો દૃષ્ટિકોણ એ હતો કે ધર્મસાધના એ જ ખરી કહેવાય, જે વર્તમાન જીવનમાં જ નિબંધ સુખનો અનુભવ કરાવે. એક વાર વર્તમાન જીવનમાં જ એવા સુખની પ્રતીતિ થાય તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy