SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ સુગતના મધ્યમમાર્ગ : શ્રદ્ધા ને મેધાનો સમન્વય • ૭૧ તે કેવળ ઇન્દ્રિયોના ચૂળ અનુભવ ઉપર આધાર રાખી સૂક્ષ્મ વિચાર અને તર્કબળને નકારવા બરાબર છે. એ જ રીતે બુદ્ધ એ પણ જોયું કે તત્ત્વચિંતકો આત્મા અને લોકના શાશ્વતપણા વિશે વિચાર કરતાં કરતાં એવી ભૂમિકાએ પહોંચ્યા છે કે જે કોઈને માટે વિચાર કે તર્કથી ગમ્ય નથી. તત્ત્વજ્ઞાન પરત્વે મધ્યમમાર્ગ તત્ત્વવિચારની આ સ્થિતિ જોઈ બુદ્ધને તેમાંથી મધ્યમમાર્ગનું સત્ય લાધ્યું. એ સત્યને અનુસરી તેણે જીવનતત્ત્વ યા આત્મતત્ત્વને કેવળ ઇન્દ્રિયગમ્ય વર્તમાનકાળની સ્થૂળ મર્યાદાથી પર એવી, પણ વિચાર અને તર્કથી સમજી શકાય એવી, સૈકાલિક મર્યાદાવાળું સ્વીકાર્યું. પણ સાથે સાથે એવા આત્મતત્ત્વને દેશ-કાળની અસરથી તદ્દન મુક્ત એવા શાશ્વતવાદની અગમ્ય કોટિથી પણ મુક્ત રાખ્યું. આ રીતે બુદ્ધ આત્મતત્ત્વને ઉચ્છેદવાદ તેમ જ કૂટસ્થનિત્યવાદ બંનેથી પર રાખી તેનું દરેક વિચારવાની અને તર્કશીલને સમજાય એવું પ્રવાહગામી સ્વરૂપ સ્થાપ્યું. તેણે કહ્યું કે જો આપણો વર્તમાન અનુભવ પ્રત્યેક ક્ષણે આંતરિક જીવનમાં પણ ફેરફાર જોતો હોય અને પૂર્વ પૂર્વના સંસ્કારમાંથી નવનવા અનુભવો પામતો હોય તો એ જ અનુભવને આધારે આપણે સ્વીકારવું જોઈએ કે વર્તમાન જીવનનો પ્રારંભ એ કાંઈ આકસ્મિક નથી, પણ અતીતપ્રવાહમાંથી ફૂટેલું એક વહેણમાત્ર છે. એ જ રીતે વર્તમાન જીવન પૂરું થવા સાથે એનો આંતરિક પ્રવાહ સમાપ્ત નથી થતો, પણ એમાંથી એક નવું ભાવી વહેણ શરૂ થાય છે. આ રીતે બુદ્ધ આત્મા કે ચિત્તને ત્રણ કાળના પટમાં વિસ્તરેલ માનવા છતાં તેને સતત ગતિશીલ સ્વીકાર્યું અને એમાં જ પુનર્જન્મ, કર્મ, પુરુષાર્થ તેમ જ ચરમસુખવાદ એ બધું બુદ્ધિગમ્ય રીતે ઘટાવ્યું. આ થયો તત્ત્વજ્ઞાન પરત્વે બુદ્ધનો મધ્યમમાર્ગ. આચાર પરત્વે મધ્યમમાર્ગ પોતાના તત્ત્વજ્ઞાનને અનુસરીને જ બુદ્ધ આચાર વિશે પણ મધ્યમમાર્ગ વિચાર્યો અને ઉપદેશયો. બુદ્ધ આચાર યા ધર્મની આડીઅવળી ગલીકૂચીઓમાં ફાંફાં મારતા લોકોને એવી બાબતો જ કહી કે જે વિશે કોઈ સમજદાર વાંધો લઈ શકે નહિ અને છતાં જે જીવનને ખરું સુખ આપે. વૈદિક પરંપરામાં ધર્મના યજ્ઞ, અધ્યયન અને દાન એ ત્રણ સ્કંધો જાણીતા હતા. બુદ્ધે એના સ્થાનમાં શીલ, સમાધિ અને પ્રજ્ઞા એ ત્રણ સ્કંધ ઉપર જ સૌનું ધ્યાન ખેંચ્યું. બુદ્ધે કહ્યું કે જીવનમાં સાચો અને સ્થિર પ્રકાશ તો પ્રજ્ઞા યા વિવેકના ઊંડાણમાંથી જ લાધે છે, પણ એવી પ્રજ્ઞા ચિત્ત તો જ મેળવી શકે જો તે વિક્ષેપ ને ચંચળતાથી મુક્ત બની સ્થિરતા કેળવે. એવી સ્થિરતા યા સમાધિ શીલના અનુશીલન વિના કદી સંભવી જ ન શકે. તેથી બુદ્ધ ધર્મની પ્રાથમિક ભૂમિકા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy