SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ ૦ પરિશીલન જેઓનું મન નિરંકુશ કે સ્વચ્છંદી છે, જેને લાજ કે શરમ નથી અને જેનામાં ઉપ૨ કહ્યા તેવા ગુણો કે સત્યભાષિતા નથી, તેવાઓ જો ઢગલાબંધ વસ્ત્રોથી પોતાની જાતને ઢાંકે તોય ખરી રીતે તે પોતાના દોષને જ ઢાંકે છે; અર્થાત્ તેઓ શરીરે સવસ્ત્ર છતાં દુનિયામાં નગ્નેશિરોમણિ નાગડાઓના જેવા વિચરે છે. જે આર્યનારી ઇંદ્રિય અને મનથી સંયત છે તેમ જ જે સ્વપતિમાં સંતુષ્ટ હોઈ બીજા કોઈ પુરુષનો વિચાર સુધ્ધાં કરતી નથી, તેવી આર્યા સૂર્ય અને ચંદ્રના પ્રકાશની પેઠે પોતાના રૂપને ઢાંકતી નથી. તેને માટે મોઢું ઢાંકવું કે લાજ કાઢવી એ નિરર્થક છે. વળી બીજાનું મન સમજી શકનાર ઋષિ-મહાત્માઓ અને દેવગણો મારું હૃદય તેમ જ મારું શીલ જાણે છે, તો પછી મુખનું અવગુંઠન મને શું કરવાનું છે ? હું જેવી છું તેવી તો ઋષિઓ અને દેવોની નજરમાં દેખાઉં જ છું, પછી મુખાવગુંઠન હોય કે ન હોય. ,* ગોપાની આર્યનારીને શોભે એવી વિચારપૂત તેમ જ નિર્ભય યુક્તિ સાંભળી રાજા શુદ્ધોદન આવી પુત્રવધૂ મળવા બદલ એટલો બધો પ્રસન્ન થયો કે તેણે બહુ કીમતી મોતી અને ફૂલનો હાર તેને ખુશાલીમાં પહેરાવ્યો અને છેવટે ઉદ્ગાર કાઢ્યો કે જેવી રીતે મારો પુત્ર સિદ્ધાર્થ ગુણોથી શોભે છે, તેવી જ રીતે આ વધૂ પણ ગુણોથી શોભે છે, એટલે આ બંનેનો સમાગમ એ ઘી અને ખાંડના જેવો છે. ઉપસંહાર ઉપરના વર્ણનમાં મુખ્ય પાત્રો ચાર છે. તે દરેકની વિશેષતા આપણું ધ્યાન ખેંચે છે. એ વિશેષતા આજે અને હંમેશાં લગ્નના પ્રશ્ન પરત્વે કેટલી કામની છે, તે સમજવાની દૃષ્ટિએ હવે આપણે એની ટૂંકમાં તારવણી કરીશું. ૧. શુદ્ધોદન : પિતા અને શ્વશુર તરીકેની શુદ્ધોદનની ચાર વિશેષતાઓ ભણી આપણું ધ્યાન જાય છે : પહેલી એ કે ઉંમરલાયક સંતતિને પૂછ્યા વિના, તેનો નિર્ણય જાણ્યા વિના, લગ્ન બાબત પોતાનો નિર્ણય તેના ઉપર ઠોકી ન બેસાડવાની વૃત્તિ; અર્થાત્ લગ્નની પસંદગીમાં સંતતિની ઇચ્છાનું મુખ્ય સ્થાન. બીજી વિશેષતા કન્યાની યોગ્યતા વિશેની કસોટી છે. શુદ્ધોદનની મુખ્ય કસોટી પાત્રની ગુણવત્તા છે. તે શૂદ્ર કન્યા હોય તો પણ જો ગુણની દૃષ્ટિએ ચઢિયાતી હોય, તો કુમા૨ માટે પસંદ કરે છે. એને મન બ્રાહ્મણ કે ક્ષત્રિય આદિ કહેવાતી ઉચ્ચ જાતિનું કોઈ મહત્ત્વ નથી. એને ખરું મહત્ત્વ ગુણોમાં જ દેખાય છે, જે સુખી દામ્પત્યની સાચી ભૂમિકા છે. ત્રીજી બાબત કુમાર * બીજે ક્યાંક વાંચેલી સ્મરણમાં આવતી ગોપાની સમર્થ અને બુદ્ધિપ્રધાન એક દલીલ એ પણ છે કે જો મેં ઘૂંઘટ ખેંચ્યો હોત તો તમારા જેવા વડીલોનાં શ્રી અને સૌંદર્યસંપન્ન મુખનું દર્શન હું કેમ પામી શકત ? વળી સ્ત્રીઓએ ઘૂંઘટ કાઢવો એ તો પુરુષોના હૃદયની મલિનતાનો સૂચક બને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy