SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ • પરિશીલન ક્ષત્રિયવંશમાં જન્મ, શ્રમણ થઈ ગૃહત્યાગ કરવો, કઠોર તપ કરવું, ધ્યાનની ભૂમિકાઓનો અભ્યાસ કરવો, માર યા વાસનાને જીતી ધર્મોપદેશ કરવો, સંઘ રચવો, યજ્ઞયાગાદિમાં થતી હિંસાનો વિરોધ, લોકભાષામાં સીધું સમજાય તે રીતે ઉપદેશ કરવો અને ઉચ્ચનીચનો ભેદ ભૂલી લોકોમાં સમાનપણે હળવુંમળવું, ઇત્યાદિ બાબતોને બુદ્ધની અસાધારણ વિશેષતા લેખી ન શકાય; કેમ કે એવી વિશેષતાઓ તો બુદ્ધના પૂર્વકાલીન, સમકાલીન અને ઉત્તરકાલીન અનેક ધર્મપ્રવર્તક પુરુષોમાં ઇતિહાસે નોંધી છે. એટલું જ નહિ, પણ એ વિશેષતાઓ પૈકી કોઈ કોઈ વિશેષતા તો બુદ્ધ કરતાં પણ વધારે સચોટરૂપે અન્ય ધર્મપ્રવર્તક પુરુષોમાં હોવાનું ઇતિહાસ કહે છે, અને છતાંય બીજા એકે ધર્મપ્રવર્તક પુરુષે બુદ્ધ જેવું વિશ્વવ્યાપી સ્થાન પ્રાપ્ત કર્યું નથી. તેથી વળી બુદ્ધની અસાધારણ વિશેષતા જાણી લેવાની વૃત્તિ પ્રબળતમ થઈ આવે છે. આવી વિશેષતાઓ પૈકી કેટલીક આ રહી : છેલ્લાં ત્રણ હજાર વર્ષના ધાર્મિક અને આધ્યાત્મિક ઇતિહાસને જોઈએ છીએ તો જણાય છે કે એટલા દૂર ભૂતકાળમાં બુદ્ધ સિવાય બીજો કોઈ એવો મહાન પુરુષ નથી થયો કે જેણે સ્વમુખે પોતાની જીવનગાથા અને સાધનાકથા જુદે જુદે પ્રસંગે, જુદા જુદા પુરુષોને ઉદ્દેશી, સ્પષ્ટપણે કહી હોય અને તે આટલી વિશ્વસનીય રીતે સચવાઈ પણ હોય. દીર્ઘતપસ્વી મહાવીર હોય કે જ્ઞાની સોક્રેટિસ હોય, ક્રાઈસ્ટ હોય કે કૃષ્ણ હોય અથવા રામ જેવા અન્ય કોઈ માન્ય પુરુષ હોય – તે બધાની જીવન વાર્તા મળે છે ખરી, પણ બુદ્ધે જે આપવીતી અને સ્વાનુભવ સ્વમુખથી, ભલે છૂટો છૂટો, પણ કહેલ છે અને તે સચવાયેલ છે, જેમ કે મઝિમનિકાયના અરિયપરિયેસન, મહાસચ્ચક, સીહનાદ, મૂળદુખફખબ્ધ આદિ સુત્તોમાં તેમ જ અંગુત્તરનિકાય અને સુત્તનિપાત આદિમાં) તેવો અને તેટલો બીજા કોઈના જીવનમાં વર્ણવાયેલો જોવા નથી મળતો. મુખ્ય પુરષ વિશેની હકીકત શિષ્ય-પ્રશિષ્યો દ્વારા જાણવા મળે, તે યથાવત્ પણ હોય, તોય તેનું મૂલ્ય જાતકથન કરતાં ઓછું જ છે, અને વધારે તો નથી જ. જાતકથન યા સ્વાનુભવવર્ણનમાં, તે કહેનારના આત્માના તારો જે મધુરતા અને સંવાદથી ઝણઝણી ઊઠે છે તે મધુરતા અને સંવાદ અન્ય દ્વારા પ્રાપ્ત થયેલ વર્ણનમાં ભાગ્યે જ સંભળાય. એ ખરું કે બુદ્ધજીવનના અનેક પ્રસંગો એમના શિષ્ય-પ્રશિષ્યોએ નોંધી રાખ્યા છે, ભક્તિ અને અતિશયોક્તિનો એમાં પુષ્કળ રંગ પણ છે; તેમ છતાં અનેક જીવનપ્રસંગો એવા પણ છે કે જે બુદ્ધ પોતે જ કહ્યા છે અને આસપાસનો સંદર્ભ તેમ જ તે કથનની સહજતા જોતાં એમાં જરાય શંકા નથી રહેતી કે તે તે પ્રસંગોનું વર્ણન બુદ્ધે પોતે જ કરેલું છે. આ કાંઈ જેવી તેવી વિશેષતા નથી. આજે, જ્યારે ચોમેર તટસ્થપણે લખાયેલ આત્મકથાનું મહત્ત્વ અંકાઈ રહ્યું છે ત્યારે, ૨૫00 વર્ષ પહેલાંની એવી આત્મકથાનો થોડો પણ વિશ્વસનીય ભાગ મળે તો તે, એ કહેનાર પુરુષની જેવી તેવી વિશેષતા લેખાવી ન જોઈએ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy