SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ • પરિશીલન બેશક, સમાજ-સુવ્યવસ્થાનો પાયો અપશુન છે. સ્ત્રીઓ કૂથલીશૂર છે એમ કહેવાય છે; પણ કૂથલી તો એવી વ્યાપક છે કે તે સાધુ, વિદ્વાન, અધ્યાપક આદિ બધાને વળગી છે અને જો એ જ સ્ત્રીત્વની વ્યાખ્યા હોય તો પછી પુરુષને શોધવાની જ મહેનત લેવી પડશે ! બૌદ્ધ અભિધર્મમાં “હિરી” અને “તપએ બેને શોભન ગુણોમાં ગણાવ્યા છે. કોઈ જુએ છે કે નહિ તેનો કશો પણ વિચાર કર્યા વિના આપમેળે જ અકૃત્ય વિચાર અને વર્તનથી દૂર રહેવાની સ્વયંભૂ વૃત્તિને જ હિરી' અને બીજાથી શરમાઈ અકૃત્ય કરતાં અટકવું તેને “ઓતપ' કહેલ છે. અમરકોશમાં ફ્રી અને અપત્રપા’ શબ્દો છે તે જ પાલિમાં ‘હિરી’ અને ‘ઓતપ' છે. અમરકોશમાં પણ લ્હી અને અપત્રપાનો અર્થ ઉપર પ્રમાણે જ કરેલ છે. આચારાંગ જેવા પ્રાચીન પ્રાકૃત ગ્રંથમાં “લજ્જુ શબ્દ છે, તે સ્વતઃ લજ્જા અર્થમાં જ વપરાયેલો છે. કાકાએ લ્હીની ચર્ચા કરતાં લાજ, આબરૂ શબ્દનો પ્રયોગ કર્યો છે તે અનુક્રમે હી અને અપત્રપાના ભાવામાં જ કરેલ છે. લાજ, આબરૂને કાકાએ સમાજની આખરી મૂડી કહી છે તે તદ્દન યથાર્થ છે. જો સમાજ પાસે આ આખરી મૂડી ન હોય કે ઓછી હોય તો તે સુવ્યવસ્થિત રીતે જીવન ગાળી જ ન શકે. જોકે ગુણવત્તાની દૃષ્ટિએ અત્રિપાના કરતાં હીનું સ્થાન ચડિયાતું છે, છતાં સામાજિક વ્યવહાર મોટે ભાગે અપત્રપાના આધારે જ નભે છે. કાકાએ શૌચનો અનેક દૃષ્ટિએ ઊહાપોહ કર્યો છે. વ્યક્તિગત શૌચ એ એક વસ્તુ છે અને સામાજિક શૌચ એ બીજી વસ્તુ છે. એ બે વચ્ચેનું તારતમ્ય તેઓ ખૂબ દાખલાદલીલથી બતાવે છે; તેથી પણ આગળ વધી તેઓએ શારીરિક અને માનસિક શૌચનું સામાજિક જીવનમાં જે સ્થાન છે અને જે હોવું જોઈએ તે બહુ જ વિગતથી સમજાવ્યું છે. મને ગમે ત્યાં ભમે તો શરીર કાબૂમાં હોય એટલે બસ છે એવું વલણ ધરાવનારને સચોટ જવાબ આપતાં કાકાએ ઠીક જ કહ્યું છે કે: “એકાદ ઘરમાં ખૂબ ગંદકી છુપાવી રાખી હોય. તે કોઈની નજરે ન પડવા દઈએ તોપણ તેમાંથી રોગનો ફેલાવો થવાનો જ. આ વાત જેટલી સાચી છે તેટલું જ એ પણ સાચું છે કે કોઈક એક જણની ચિત્તવૃત્તિ માલિન હોય તો આખા સમાજ પર તે પોતાનો પ્રભાવ પાડ્યા વિના રહેશે નહિ. એથી ઊલટું, એકાદ જણની ચિત્તવૃત્તિ પવિત્ર, ઉદાત્ત અને આર્ય હશે તો તેની અસર પણ સમાજ પર પહોંચવાની જ' કાકાએ માનસિક શૌચનું પ્રધાનપણું બતાવતાં દેહાપત્ય અને વિચારાપત્ય એવા બે પ્રકારનાં અપત્યો વચ્ચેનું અંતર બતાવ્યું છે, તે તેમના વક્તવ્યને સચોટપણે રજૂ કરે છે. આમ તો શૌચ સર્વત્ર સંભળાય અને ગવાય છે, પણ એનું સામાજિક મૂલ્ય કેટલું છે તેનો વિચાર વ્યાપકરૂપે હજી સાર્વત્રિક થયો નથી. તેથી ગીતાને આધારે થયેલો આ વિચાર બહુ ઉપયોગી થઈ પડે તેવો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy