SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ઉચ્ચ શિક્ષણની બોધભાષા - ૨૦૫ એમ કેમ કહી શકાય ? મારો જવાબ એમ છે કે પ્રવેશપત્ર, પ્રશ્નપત્ર, ઉત્તરો સંસ્કૃતમાં લખાય છે એટલા જ માત્રથી જો સંસ્કૃતને બોધભાષા કોઈ કહે તો તેની સામે મારો લેશ પણ વાંધો નથી, પણ બોધભાષાનો એટલો અર્થ હું નથી લેતો. બોધભાષાનો એટલો જ અર્થ કરવો તે કોઈ પણ રીતે યોગ્ય નથી, એમ પણ હું માનું છું. બોધભાષાનો અર્થ હું એ કરું છું કે દ્વારા મળનાર સહેતાર્ડથી વિષય સમની શબ્દે અને અધ્યાપ સહેલ્લાર્ડથી સમનાવી છે તે વોધમાષા. આ અર્થમાં અત્યારે પણ સંસ્કૃત બોધભાષા નથી અને પહેલાં પણ નહોતી, એમ મારું નિરીક્ષણ અને ચિંતન મને કહે છે. આ. માંકડે જ્યારે એમ કહ્યું છે કે સંસ્કૃત બોધભાષા ન હતી તે મારે જ સાબિત કરવું તો હવે આ વિશે કાંઈક વિસ્તારથી લખું તો અસ્થાને નહિ ગણાય. - અધ્યયન અને અધ્યાપનમાં બાવીસ વર્ષ લગભગ મેં કાશીમાં ગાળ્યાં છે અને જૂની ઢબે ચાલતી તેમ જ જુદા જુદા પ્રાન્તના ઉચ્ચતમ વિદ્વાનો જેમાં શીખવે છે એવી પાઠશાળાઓ અને મહાવિદ્યાલયોનો શીખવા અને શીખવવાની દૃષ્ટિએ મેં પરિચય સાધ્યો છે. તે ઉપરાંત મિથિલા અને બંગાળનાં વિશિષ્ટ સંસ્કૃત કેન્દ્રોના પણ અધ્યયનની દૃષ્ટિએ તેમ જ અવલોકનની દૃષ્ટિએ થોડોક જાતઅનુભવ મને છે. દૂર દક્ષિણમાં નથી ગયો, છતાં ત્યાંના વિશિષ્ટતમ અધ્યાપકોનો પણ કાશી, કલકત્તા અને મુંબઈ જેવાં સ્થાનોમાં આ દૃષ્ટિએ થોડોક પરિચય સાધ્યો છે. હું પોતે જે રીતે શીખતો, બીજાને શીખતાં જોતો અને શીખવતો તે વખતે પણ આ દૃષ્ટિએ હું હંમેશાં વિચાર કરતો અને સહેજે ભૂતકાળનો પણ વિચાર કરતો. આ બધા અધૂરા ગણો કે પૂરા ગણો, તે અવલોકનને આધારે જ મેં મારું વિધાન કર્યું છે. મેં જોયું છે કે જ્યાં વિદ્યાર્થી અને અને અધ્યાપકની ભાષા સમાન હોય છે ત્યાં ઉચ્ચતમ વિષયોને શીખવતી વખતે પણ અધ્યાપક માતૃભાષા જેવી સંસ્કૃતભિન્ન ભાષાનો જ મુખ્યપણે આશ્રય લેતો હોય છે, કેમકે શીખનાર વિદ્યાર્થી એ રીતે વિષયને બહુ જ સરળતાથી ગ્રહણ કરી લેતો હોય છે. એટલે જે અધ્યાપકો વિદ્યાર્થીના હિતની દૃષ્ટિએ જ શીખવતા હોય છે તે સીધી રીતે વિદ્યાર્થીને સમજાય એ જ ભાષાનો આશ્રય લેતા હોય છે. એવો એક પણ દ્રવિડિયન કે બંગાળી મોટો અધ્યાપક મેં નથી જોયો કે જે પોતાના પુત્રો કે સ્વભાષાભાષી વિદ્યાર્થીઓને શીખવતી વખતે માતૃભાષા છોડી માત્ર સંસ્કૃતનો આશ્રય લેતો હોય. જ્યાં વિદ્યાર્થી અધ્યાપકની પરિચિત ભાષા ન જાણતો હોય, અગર વિદ્યાર્થીની પરિચિત ભાષા અધ્યાપક બિલકુલ ન જાણતો હોય, તેવા દાખલાઓમાં અધ્યાપક ન છૂટકે સંસ્કૃત ભાષાનો આશ્રય લઈ ગમે તેવા વિષયોને પણ શીખવે છે એની ના નથી; પણ ક્રમે ક્રમે સ્થિતિ બદલાતી આવે છે. જો અધ્યાપક કરતાં વિદ્યાર્થી જ વધારે ગરજુ અને જિજ્ઞાસુ હોય છે તો તે અધ્યાપકની પરિચિત ભાષા જાણી લે છે. કેટલાક પ્રસંગોમાં વિદ્યાર્થી કરતાં અધ્યાપક અમુક કારણસર વધારે ગરજ હોય છે એવી સ્થિતિમાં અધ્યાપક વહેલો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy