SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧. જીવતો અનેકાંત કલ્પના, તત્ત્વજ્ઞાન અને ધર્મ એ ત્રણ માનવી જીવનની, બીજા કોઈના જીવનમાં ન હોય તેવી, વિશેષતાઓ છે. તેમ છતાં આ ત્રણે વસ્તુઓ એક જ કોટિની કે એક જ સરખા મૂલ્યવાળી નથી. કલ્પના કરતાં તત્ત્વજ્ઞાનનું સ્થાન ઊંચું છે; એટલું જ નહિ, પણ તે સ્થાયી અને વ્યાપક પણ છે. ધર્મનું સ્થાન તો તત્ત્વજ્ઞાન કરતાંય ચઢિયાતું છે, કારણ ધર્મ એ તત્ત્વજ્ઞાનનું પક્વ પરિણામ ફળમાત્ર છે. કલ્પનાઓ ક્ષણે ક્ષણે નવી નવી અને તે પણ જુદી જુદી વ્યક્તિઓમાં નવીનરૂપે ઉદ્ભવે છે. એ બધી કલ્પનાઓ કાંઈ સ્થિર નથી હોતી તેમ જ સાચી પણ નથી હોતી, તેથી કલ્પના કરનાર વ્યક્તિ પણ પોતે સેવેલી અને પોષેલી કલ્પનાઓ ઘણી વાર અને મોટે ભાગે ફેંકી જ દે છે, એને એ બદલ્યા પણ કરે છે. જો કોઈ વ્યક્તિ પોતાની કલ્પનાઓને સત્યની કસોટીએ નહિ કસાયા છતાં સેવ્યા જ અને પોષ્યા જ કરે, તોય એ કલ્પનાઓને બીજા લોકો સ્વીકારતા કે અપનાવતા નથી. તેથી ઊલટું, જો કોઈ કલ્પના સત્યની કસોટીએ કસાતાં પાર ઊતરે, તેમાં ભાંતિ જેવું ન જ રહે, તો એવી કલ્પના ગમે તે કાળ, ગમે તે દેશ અને ગમે તે જાતિના મનુષ્યમાં જન્મી હોય છતાં તે કલ્પના પોતાની સત્યતાના બળના પ્રમાણમાં સર્વત્ર સ્વીકારાવા લાગે છે અને તે કલ્પના સ્થાયી બને છે. આવી જ સ્થિર કલ્પનાઓ તત્ત્વજ્ઞાન તરીકે લેખાય છે અને તે જ ક્યાંય સીમાબદ્ધ ન રહેતાં સાર્વજનિક કે બહુજનગ્રાહ્ય સંપત્તિ બને છે. માનવી પરીક્ષણશક્તિ જે તત્ત્વજ્ઞાનને કસી સત્યરૂપે સ્વીકારે છે, તે જ તત્ત્વજ્ઞાન પછી કાળક્રમે ધીરેથી કે ત્વરાથી માનવી આચરણનો વિષય બને છે અને જે તત્ત્વજ્ઞાન વિવેકપૂર્વક આચરણમાં આવે છે, તે જ માનવવંશનો ખરેખરો વિકાસપ્રદ ધર્મ બની જાય છે. ઉપરની બાબત એકાદ દાખલાથી સ્પષ્ટ કરીએ. જીવ, આત્મા, ઈશ્વર એ છે’ એવી એક કલ્પના. તે નથી' એવી બીજી કલ્પના. છે તોય બધા જીવો વસ્તુતઃ એક જ છે, તેઓ વચ્ચે વાસ્તવિક ભેદ છે જ નહિ અને જીવ તેમ જ પરમાત્મા પણ વસ્તુતઃ નોખી નોખી વસ્તુ નથી એવી કલ્પનાઓ એક બાજુ અને બીજી બાજુ જીવો બધાય વસ્તુતઃ નોખા નોખા છે, પરમાત્મા અને જીવો વચ્ચે ખરેખરી જુદાઈ જ છે એવી કલ્પનાઓ પ્રવર્તે છે. જ્યારે તેથી તદ્દન ઊલટી જાતની કલ્પનાઓ પણ પ્રવર્તે છે; તે For Private & Personal Use Only Jain Education International - www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy