SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ સર્વાગીણ સંશોધન અને સમાલોચના • ૧૬૯ પ્રસ્તુત નિબંધ તૈયાર કરવા માટે છાપાં અને સુલભ-દુર્લભ સેંકડો પુસ્તકોનો તો લેખકે યથાસ્થાન ઉપયોગ કર્યો જ છે, પણ તેમણે નિબંધ નિમિત્તે જે અપ્રાપ્ય સામગ્રી મેળવવા જહેમત ઉઠાવી છે તે સંશોધનકાર્યના રસિકને આકર્ષે તેવી છે. ધીરુભાઈએ મણિલાલની હસ્તલિખિત સામગ્રી જ્યાં હોય ત્યાંથી મેળવવા બહુ યત્ન કરેલો. વડોદરાના શ્રી. જગજીવનદાસ દયાળજી, જે મણિલાલના સમકાલીન હતા, તેમની પાસે નૃસિંહાવતાર'ની મણિલાલના હસ્તાક્ષરની પોથી હતી; જે અન્યત્ર તદ્દન અપ્રાપ્ય હતી. તે પોથી લેખકે ગજા ઉપરાંત ખર્ચ કરીને પણ ખરીદી અને વધારામાં છપાવી પણ દીધી. મણિલાલના પૌત્રને શ્રમપૂર્વક સમજાવી તેમને ત્યાં પડેલ અને જર્જરિતપ્રાય થયેલ મણિલાલનો મુદ્રિતલિખિત સંગ્રહ મેળવ્યો. તેમાંથી મણિલાલની હસ્તલિખિત અને દુર્લભ ચીજો મળી, જેમાં તેમનો પત્રવ્યવહાર, વસિયતનામું અને અનેક ગ્રંથો ઉપર તેમણે કરેલી નોંધો કે ટિપ્પણોનો સમાવેશ થાય છે. તેમણે આપેલ અંગ્રેજી વ્યાખ્યાનો, જે માત્ર પોતા માટે જ છપાવેલ, તેની અન્યત્ર સર્વથા અપ્રાપ્ય એવી નકલો મળી; જેમકે “ધ નેસેસિટી ઑફ સ્પિરિટ્યુલ કલ્ચર', “ધ ડૉક્વીન ઑફ માયા' ઇત્યાદિ. આ આખો સંગ્રહ ગુ. વિ. સભામાં સુરક્ષતિ રહે તે દૃષ્ટિએ નિબંધલેખકે મણિલાલના પૌત્રને સમજાવી ત્યાં સોંપાવ્યો છે. મણિલાલનું આત્મચરિત અમુક અંશે તો ‘વસંતમાં આનંદશંકરભાઈએ પ્રસિદ્ધ કરેલું, પણ એ આત્મચરિત આખું પોતાની પાસે હોવા છતાં તેમણે સહેતુક પ્રસિદ્ધ નહિ કરેલું અને પોતાના વારસદારોને પ્રસિદ્ધ ન કરવાની સૂચના પણ કરેલી. આ આખું આત્મચરિત મણિલાલની હસ્તલિપિમાં છે. તે લેખકે પૂરેપૂરું જોયું અને તેનો પ્રસ્તુત નિબંધમાં આવશ્યક ઉપયોગ કર્યો છે. સંશોધનકાર્યનાં રસ અને દૃષ્ટિ વિના ભાગ્યે જ કોઈ પરીક્ષાના નિબંધની તૈયારી કરતી વખતે આટલો શ્રમ લે અને સમય ખર્ચે. “કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે” એ કાવ્ય ગુજરાતીઓની જીભે રમતું. અત્યારના સિનેમાયુગ પહેલાં તો જ્યાં ત્યાં એ ગવાતું સંભળાતું. એ કાવ્ય ગાંધીજીને એટલું બધું રુચેલું કે તેમણે એના ઉપર વિવેચન લખી આફ્રિકામાં હતા ત્યારે ઇન્ડિયન ઓપિનિયન' પત્રમાં પ્રસિદ્ધ કરેલું, પરંતુ એ વિવેચનની નકલ દુર્લભ હતી, જે નિબંધલેખકે ગાંધીજીના પુત્ર શ્રી. રામદાસભાઈ પાસેથી મેળવી તેનો ઉપયોગ કર્યો છે. એટલું જ નહિ, પણ એ કાવ્યની હસ્તલિખિત નકલ આત્મચરિતમાંથી ઉતારી લીધી અને અત્યાર લગી જે એનો અશુદ્ધ પાઠ ચાલ્યો આવતો તેનું શુદ્ધીકરણ પણ કર્યું. જે પ્રસ્તુત નિબંધના કવિતાવાળા પ્રકરણમાં આપેલ છે. આ શુદ્ધીકરણ ખાસ ધ્યાન ખેંચે એવું છે. જેમ કે, “ઝહરનું નામ લે શોધી' એ અશુદ્ધ પાઠને બદલે “ઝહરનું નામ લે શોધી' એમ શુદ્ધ પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy