SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૬ - પરિશીલન ધર્મ અને તત્ત્વચિંતનના ક્ષેત્રમાં ગુજરાતી વિચારક તરીકે શું સ્થાન છે તેને ચોક્કસ ખ્યાલ મળે છે. (જુઓ પૃ. ૧૪-૧૫૨) સમાજ, શિક્ષણ અને રાજકારણ જેવા વિષયોમાં પણ મણિલાલ અવ્યાહત ગતિએ વિચારે છે અને લખે છે. એ વિશેનાં તેમનાં પૂર્વ અને પશ્ચિમ, “નારી પ્રતિષ્ઠા', “સુદર્શન ગદ્યાવલિમાંના લેખો આદિ બધાં જ લખાણો લઈ લેખકે તે તે ક્ષેત્રમાં મણિલાલની કેવી દૃષ્ટિ હતી અને તેઓ સમાજ, શિક્ષણ કે રાજકારણમાં શું પરિવર્તન કરવા ઇચ્છતા તે બધું લાગતાવળગતા વિચારકો અને ચાલુ પ્રણાલીઓ સાથે તુલના કરી દર્શાવ્યું છે. તે કાળે કોઈ વિશિષ્ટ સાક્ષર સીધી રીતે રાજકારણની ચર્ચા ભાગ્યે જ કરતો, ત્યારે મણિલાલ એ વિશે પોતાની ચોક્કસ દૃષ્ટિ નિર્ભયપણે રજૂ કરે છે, એ જાણતાં જ એમ થઈ આવે છે કે ગુજરાતે માત્ર સામાજિક સુધારકોને જ જન્મ નથી આપ્યો, પણ એણે ગઈ સદીના રાજકીય દૃષ્ટિએ દબાયેલ સાક્ષરવર્ગમાં પણ એક તેજસ્વી મૂર્તિ જન્માવી છે. પ્રકરણ ચોથામાં સાહિત્યકૃતિઓની સમાલોચના છે. તેમાં મણિલાલનાં નાટક, નવલકથા, આત્મચરિત્ર, નિબંધો, વિવેચનલેખો, સંશોધન, ભાષાંતરસંપાદન આદિ સાહિત્યની વિગતે અને મુક્તમને ચર્ચા કરી છે. કાન્તા' નાટક વિશેની ચર્ચા બે બાબતો. તરફ ખાસ ધ્યાન ખેંચે છે. એક તો નવલરામે કાન્તા' નાટકની કરેલી ટીકાનો જે સમર્થ જવાબ આપ્યો છે તે (જુઓ પૃ. ૧૯૮-૨૦૧), અને બીજી એ કે “કાન્તા' નાટક મુંબઈ કંપનીએ ભજવ્યું તે કેવું નીવડ્યું એની સાચી માહિતી તેના જાણકાર વયોવૃદ્ધ સુપ્રસિદ્ધ નટ જયશંકરભાઈ સુંદરી) પાસેથી મેળવી આપી છે તે (જુઓ પૃ. ૨૦૪). “નૃસિંહાવતાર' નાટક એ જ કંપનીની માગણીથી રચાયું અને ભજવાયું. તેણે પ્રેક્ષકો અને વિદ્વાનો ઉપર જે અસર કરેલી તેની યથાર્થ માહિતી પણ તે જ નાટક ભજવવામાં પ્રત્યક્ષ ભાગ લેનાર શ્રી. જયશંકરભાઈએ પૂરી પાડી, એની પણ લેખકે નોંધ કરી છે, જે મહત્ત્વની કહેવાય. નૃસિંહાવતાર' અદ્યાપિ અપ્રકટ છે, પણ હવે થોડા જ વખતમાં પ્રકાશિત થશે અને રસિકો એની ગુણવત્તા પણ જોઈ શકશે. ગુલાબસિંહની ચર્ચા લેખકે વિસ્તારથી કરેલી છે. સ્વ. નવલરામ ત્રિવેદીએ એનું મૂલ્યાંકન કરવામાં જે ભૂલ કરેલી તે દર્શાવવા લૉર્ડ લિટનલિખિત મૂળ અંગ્રેજી નવલકથા ‘ઝેનોની'નાં અવતરણો લઈ ગુલાબસિંહના તે તે ભાગની સવિસ્તર તુલના કરી છે, અને સાચી રીતે સાબિત કર્યું છે કે ગુલાબસિંહ' જોકે ઉક્ત અંગ્રેજી નવલકથા ઉપરથી લખાયો છે, પણ તે નથી અક્ષરશ: અનુવાદ કે મોટે ભાગે અનુવાદ, પણ “ગુલાબસિંહ' એ એક સ્વતંત્રરૂપ રૂપાંતર છે. “સરસ્વતીચંદ્રના પ્રકાશન પહેલાં જ ગુલાબસિંહ' કકડે કકડે પ્રસિદ્ધ થયે જતો હતો. મણિલાલની નવલકાર તરીકેની શક્તિ એમાં સ્પષ્ટ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy