SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ • પરિશીલન મોટી છે. તેમ છતાં ડઝનેક જેટલી નાનીમોટી નવલો ને અર્ધ ડઝન જેટલા લઘુવાર્તાસંગ્રહો ! એટલું પણ એમની લેખનકળાની હથોટી સિદ્ધ કરવા પૂરતું છે. એમણે લખવાની શરૂઆત તો લગભગ ૧૫-૧૭ વર્ષ પહેલાં કરી. એ શરૂઆત મૂળે તો આર્થિક આવશ્યકતામાંથી જન્મી. એણે એ આવશ્યકતા ઠીક ઠીક સંતોષી પણ ખરી. અને પછી તો એમનો એ રસ–વ્યવસાય જ થઈ ગયો છે. શરૂઆતમાં એમણે વિદ્યાર્થીવાચનમાળા' જેવી નાની નાની પુસ્તિકાઓ લખી, અનેક પત્ર-પત્રિકાઓમાં પણ લખતા રહ્યા. વાચન અને ચિંતન લેખન-વ્યવસાય સાથે જ વધતું અને સમૃદ્ધ થતું ચાલ્યું. તેને પરિણામે જેમ જેમ નવી નવી કૃતિઓ જન્મતી ગઈ, તેમ તેમ તેમાં વધારે રસ અને વિચારપ્રેરકતાનાં તત્ત્વો પણ આવતાં ગયાં. ભાષા પણ વધારે સરળ અને શ્રવ્ય ઘડાતી ચાલી. એની પ્રતીતિ કામવિજેતા સ્થૂલિભદ્ર, મહર્ષિ મેતારજ, વિક્રમાદિત્ય હેમુ, ભાગ્યનિર્માણ અને ભગવાન ઋષભદેવ જેવી નવલો જોતાં થાય છે. જયભિખુની એક નવલ નામે પ્રેમભક્ત કવિ જયદેવ ઉપરથી કળાકાર શ્રી કનુ દેસાઈની દોરવણી પ્રમાણે ગીતગોવિંદ નામે ચિત્રપટ પણ તૈયાર થયું અને ઠીક ઠીક પસંદગી પણ પામ્યું. એમની ભગવાન ઋષભદેવ નામની નવલકથાને અનુલક્ષી ૨૦૦૩ના પ્રજાબંધુના દીપોત્સવી અંકમાં અધ્યાપક ઈશ્વરલાલ દવેએ અત્યારના સુપ્રસિદ્ધ નવલકારોની કળાનું બીજી દિશામાં ધ્યાન ખેંચવા લખેલું : “આપણે ઇચ્છીએ છીએ કે આપણા વાર્તાકારો સોલંકી યુગને નમસ્કાર કરી હવે સેનાપતિ (આચાર્ય) અને ભગવાન ઋષભદેવ (જયભિખુ)ની જેમ, વિશેષ સફળતાથી, નવા યુગોમાં વિહાર કરે.” ગુજરાતી સાહિત્ય સભા તરફથી થતી ચાલીસના ગ્રંથસ્થ વાડુમયની સમીક્ષા કરતાં, અધ્યાપક રવિશંકર મ. જોશીએ સ્થૂલિભદ્ર' વિશે જે લખ્યું છે તે લંબાણ-ભયનો સંકોચ ટાળીને હું પૂરેપૂરું અહીં ઉદ્ધત કરવું યોગ્ય સમજું છું. જયભિખ્ખું કૃત “સ્થૂલિભદ્રમાં નવલકથામાં ઐતિહાસિક ધર્મકથાને ઉચિત કલાથી ગૂંથવાનો સફળ યત્ન થયો છે. પ્રેમકથા, મુત્સદ્દીગીરી કે સાહસકથાઓની પુનરુક્તિથી અકળાતા લેખકોને ધર્મકથાઓને રુચિર સ્વરૂપે ગૂંથવાનું ક્ષેત્ર હજી અણખેડાયેલું અને ભાવિ સમૃદ્ધિભર્યું જણાશે. સાંપ્રદાયિક તત્ત્વો આ ક્થામાં વિશાળ માનવતત્ત્વોમાં વેરાઈ ગયાં છે, અને સ્થૂલિભદ્ર, કોશા, વિષ્ણુગુપ્ત, વરરુચિ વગેરે પાત્રો અને કોશાનો વિલાસ', “યૂલિભદ્રનો સંન્યાસ', “અજબ અનુભવો', “કામવિજેતા' વગેરે પ્રકરણો હૃદયસ્પર્શી છે. વસ્તુ સુઘટિત છે. પ્રસંગોમાં કલ્પનાપ્રેરિત ચેતન મુકાયું છે. અને ધાર્મિક તત્ત્વો વાર્તારસમાં સારી રીતે ગૂંથાઈ આખીયે નવલને સુવાચ્ય બનાવી એકતાળીસ-બેંતાળીસના ગ્રંથસ્થ વાડ્મયની સમીક્ષા કરતાં કવિ શ્રી સુંદરમે મહર્ષિ મેતારજ' વિશે લખતાં લેખકની કેટલીક મર્યાદાઓનો તટસ્થ નિર્દેશ કરીને છેવટે લખ્યું છે કે: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy