SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫. ખરો કેળવણીકાર મહાભારતમાં અને બુદ્ધના ઉપદેશમાં સાચા બ્રાહ્મણત્વને લગતી બોધપ્રદ ચર્ચા છે. એમાં કુળ, રૂપ, શ્રત, શીલ અને પ્રજ્ઞા એ પાંચ લક્ષણોને સાચા બ્રાહ્મણનાં લક્ષણ તરીકે વર્ણવ્યાં છે ખરાં, પણ તેમાં શ્રત, શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે; પ્રથમનાં બે લક્ષણ ન હોય તોય પાછળનાં લક્ષણો સાચા બ્રાહ્મણને ઓળખવા પૂરતાં છે. શ્રુત, શીલ અને પ્રજ્ઞામાં પણ શીલ અને પ્રજ્ઞાનું સ્થાન મુખ્ય છે. પ્રાચીન કાળમાં સાચા બ્રાહ્મણને ઓળખવા માટે જે કસોટી ઋષિઓએ નક્કી કરેલી તે જ કસોટી વર્તમાન યુગમાં ખરા કેળવણીકારને ઓળખવા માટે કામની છે. બીજી રીતે કહીએ તો એમ કહી શકાય કે સાચો બ્રાહ્મણ અને ખરો કેળવણીકાર એ બે પદો યુગભેદનાં સૂચકમાત્ર છે; બંનેનું તાત્પર્ય કે હાર્દ તો એક જ છે. કેળવણીનું ક્ષેત્ર વિશાળ છે. એની વિવિધતા પણ નાનીસૂની નથીતેથી એ ક્ષેત્રમાં કામ કરનાર કે એને વરેલા એવા કેળવણીકારો પણ અનેક અને અનેકવિધ હોવાના જ. યુગભેદે પણ એનું બાહ્ય સ્વરૂપ કાંઈક ને કાંઈક જુદું પડવાનું. એટલે કેળવણીકારોમાં પણ તારતમ્ય હોય જ. તળાવ, ટાંકું અને કુદરતી ફૂટતું ઝરણું એ ત્રણે પાણીનાં સ્થાન ખરાં, પણ તેમાં અંતર છે. તળાવમાં પાણીનો જથ્થો વધારે હોય તે ખરું, પણ તેનો આધાર બહારની આવક ઉપર છે; ટાંકામાં જળસંગ્રહ હોય તે પણ બહારના ભરણા ઉપર અવલંબિત છે; જ્યારે કુદરતી રીતે તે ફૂટતા અને વહેતા ઝરણાની વાત સાવ જુદી. એ ઝરણું નાનુંમોટું કે વેગીલું અગર મંદ હોઈ શકે, પણ તેની ધારા અવિચ્છિન્ન વહેવાની અને તેમાં નવું નવું પાણી આવે જ જવાનું. માત્ર બહારની આવક ઉપર એનો આધાર નથી. એનો આધાર પેટાળની શક્તિ ઉપર છે – એવા જ અખંડ ઝરણાને શાસ્ત્રોમાં શિરોદક તરીકે ઓળખાવેલ છે – ચાલુ ભાષામાં જેને આપણે સેર, સરવાણી કે નવાણ કહીએ છીએ. કેળવણીકારોના પણ કાંઈક આવા પ્રકારો છે. કેટલાક કેળવણીકારો સરોવર જેવા હોય, વળી કોઈ કોઈ ટાંકા જેવા પણ હોય, પરંતુ એમનો જ્ઞાનસંગ્રહ અને કેળવણીગત વિચારો મોટે ભાગે વાચનની વિશાળતા અને બહિર્લક્ષી અનુકરણને આભારી હોય છે. તેથી જ એવા કેળવણીકારો વાચન, વિચાર અને કલ્પનાથી સમૃદ્ધ હોય તોય આગવી અંદરની જોઈતી સૂઝને અભાવે કાં તો ચાલેલે ચીલે ચાલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy