SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦૦ પરિશીલન આચારે જે વસ્તુનું સ્પષ્ટીકરણ કર્યું છે તે જ અહિંસાના સિદ્ધાંતનું આ લેખ સજીવ ભાષ્ય બની રહે છે. લેખક જન્મે સામ્પ્રદાયિક અહિંસાવાદી હોવા છતાં એનું તત્ત્વ એમને ગાંધીજીના દાખલા વિના આવું સ્પષ્ટ થયું ન જ હોત. જૈન સમાજ અને સાધુઓની જે સમીક્ષા કરી છે તે તો માત્ર પરિચિત કથા જ છે, પણ ખરી રીતે બૌદ્ધ, વૈદિક આદિ બધી જ ધર્મસંસ્થાઓ વિકૃત અહિંસાના રોગથી જ ગ્રસ્ત છે. ચરણસ્પર્શ ચરણસ્પર્શ અને વંદનવિધિ – એ પ્રકારો જે દેશકાળમાં અસ્તિત્વમાં આવ્યા તે જ સાવ બદલાઈ ગયા છે. ગુરુને માત્ર વેશથી ઓળખી વંદન કરો તો નગુણા અને ઘણી વાર દુષ્ટ એવા નામધારીઓ પણ વંદાય છે; જ્યારે કેટલીક વાર તે તે ગુણમાં અસાધારણ એવા પંથવેશ વિનાના પુરુષોને સંપ્રદાય વિધિએ નમતો માણસ સંપ્રદાય દ્વારા નિંદાય પણ છે કે શું એવા સંસારીઓને તમે વંદન કરો છો ? એટલે આ વિવિધ સ્વરૂપી વિશ્વમાં બુદ્ધિથી ગુણ પારખી તેની યોગ્ય પ્રતિપત્તિ કરવી એટલું જ બસ છે. જૈન ગૃહસ્થ બૌદ્ધ કે બીજા ગૃહસ્થ સંન્યાસીઓને જેન વિધિ અનુસાર વંદે તો જેનો એને નાસ્તિક કહેવાના. ખુદ જૈન ફિરકામાં પણ એક ફિરકાના સાધુને બીજા ફિરકાનો ગૃહસ્થ નહિ વંદે કે નહિ નમે. આ રીતે ચરણસ્પર્શ અને વંદન આદિ પ્રકારો યોગ્યતાની કદર કરતાં રોકે છે અને એકબીજા વચ્ચે માનની દીવાલો ઊભી કરે છે. તેથી પ્રસ્તુત લેખ બહુ સમયોચિત છે. આ વિભાગના ચોથા લેખમાં નૈતિક અપકર્ષનું પરિણામ શું હોય અને શું ન હોય એની જે ચર્ચા છે તે વિજ્ઞાનસંમત અને શાસ્ત્રસંમત પણ છે. ઘણી વાર માણસને સાવધ કરવા કોઈ અનિષ્ટ ઘટના તેના દોષને કારણે બની એમ કહી તેને ઉપદેશ કરવામાં આવે છે, પણ તેથી એ બંને વચ્ચે કાર્યકારણભાવ ફલિત નથી થતો. ભૌતિક દુર્ઘટના સ્વકારણે બને, પણ એનાથી ઉપજાવાતો ભય એ કદાચ નૈતિક વલણમાં ઉપયોગી થાય ખરો. ‘ત્યાં ખવીસ થાય છે.' એવો ભય ઉપજાવી છોકરાને અમુક રસ્તે જતાં રોકીએ ને કાંઈક લાભ થાય તો એનું કારણ ખવીસ નહિ, પણ તજ્જન્ય ભય છે; આસક્તિ ટાળવા અનિત્યત્વની અને અશુચિત્વની ભાવના સેવીએ તો એનો અર્થ એ નહિ કે અનિત્યત્વ અને અશુચિત્વ એ અનાસક્તિનું કારણ છે. અનિત્યત્વ અને અશુચિત્વ હોવા છતાં, અને એની જાણ હોવા છતાં, ઘણી વાર આસક્તિ થાય છે. તેથી પ્રસ્તુત લેખ કાર્યકારણભાવની ભ્રાન્ત કલ્પના નિવારી તેનું સાચું પાસું રજૂ કરે છે. પ્રકૃતિ ત્રિલોકિમંડપમાં ત્રિગુણાત્મક રાસ રમ્યા જ કરે છે. સમુદ્ર-પર્વત, સૂર્યચંદ્ર, ગ્રહ-નક્ષત્રોના અલંકાર ધારણ કરી વિધવિધ લતા-કુંજ, વનરાજિ અને કુસુમકલિકાની વેશભૂષાથી વિભૂષિત થઈ એ નટી કાળપટ ઉપર નિયમિતપણે ફરતા ઋતુચક્ર દ્વારા સૌમ્ય અને રુદ્ર, કોમળ અને પ્રચંડ નૃત્ય કરતી જ રહે છે. પક્ષીઓના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy