SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ • પરિશીલન અને લેખક જન્મે જૈન છે અને ઘણી બાબતો એમણે જૈન સમાજને ઉદ્દેશી ચર્ચા છે તેથી, સ્થૂળ રીતે વિચાર કરનાર અને વાંચનાર વર્ગને એમ લાગવાનો ચોક્કસ સંભવ છે કે પ્રસ્તુત લેખસંગ્રહ તો જૈન પરંપરા સાથે જ સંબંધ ધરાવે છે અને લેખક જૈન પરંપરાની પરિધિમાં જ વિચાર કરતા હશે, પરંતુ જેઓ પ્રસ્તુત લેખોના લેખકના માનસને ઠીક ઠીક પિછાણે છે અને જેમણે જાણ્યું કે અજાણે તેમનો કોઈ પણ લેખ વાંચો હશે તેમને એ કહેવાની જરૂર જ નથી કે પરમાનંદભાઈ નાના કે મોટા કોઈ પણ વર્તુળમાં કામ કરતા હોય ત્યારે કદી સંકુચિત દૃષ્ટિથી કે સાંપ્રદાયિક દૃષ્ટિથી નથી વિચારતા કે નથી લખતા. એમણે જ્યાં જ્યાં જૈન સમાજને ઉદ્દેશી કે તેની સાથે સંબંધ ધરાવનાર પ્રશ્નોને લક્ષીને લખ્યું છે ત્યાં પણ તેમનો માપદંડ માત્ર સત્યલક્ષી અને માનવતાવાદી જ રહ્યો છે. કોઈ એક મુસલમાન કે ખ્રિસ્તી પોતાના કાર્યક્ષેત્રને અનુસરી ઈસ્લામ કે ખ્રિસ્તી ધર્મને ઉદ્દેશીને અને છતાં સંપૂર્ણ માનવતાસ્પર્શી લખે, વિચારે કે કામ કરે અને જો એ પરંપરા સિવાયના લોકો ઈતર પરંપરાનું કાર્ય લેખી તે વિશે બેપરવા રહે તો એમાં એમને જ ગુમાવવાનું છે. અલબત્ત, વિચારશીલ વાચકોને ફાળે એટલું કરવાનું તો બાકી રહે જ છે કે જ્યાં જ્યાં માનવતાની દૃષ્ટિએ અને માત્ર સત્યલક્ષી દૃષ્ટિએ લેખકે વિચાર્યું કે લખ્યું હોય અને છતાં તેમાં કોઈ એક પરંપરા કે વર્ગને ઉદ્દેશીને જ કહેવાયું હોય ત્યાં ત્યાં એ બધાંમાંથી પરંપરાવિશેષ અને સમાજવિશેષનું નામ ગાળી તે પાછળ રહેલ લેખકની વ્યાપક દૃષ્ટિને જ પકડવી. છેવટે તો કોઈ પણ લેખક કે વિચારક અમુક પરિસ્થિતિ અને અમુક વર્તુળને લક્ષમાં રાખીને જ લખતો કે વિચારતો હોય છે. એટલે વાચક માટે જોવાનું એ બાકી રહે છે કે તેનું લખાણ કઈ દૃષ્ટિથી પ્રેરાયેલું છે. જો એને લખાણની પ્રેરક દૃષ્ટિ વ્યાપક અને માત્ર સત્યલક્ષી લાગે તો પછી એને માટે એ લખાણ વાચનક્ષમ અને વિચારક્ષમ બને છે. હું પોતે પરમાનંદભાઈના સંપ્રદાય, પંથ કે સમાજના ઉદ્દેશથી લખાયેલાં પહેલેથી આજ સુધીનાં બધાં લખાણોને એ જ કસોટીથી જોતો આવ્યો છું અને મારી ખાતરી થઈ છે કે તેમનાં એ બધાં લખાણો ગમે તે પંથ, નાત કે સમાજને સમાન પ્રશ્નો પરત્વે એકસરખાં લાગુ પડે છે. તેથી સૂચવવાનું પ્રાપ્ત એ થાય છે કે જેમ કોઈ પણ સાંપ્રદાયિક જૈન એમનાં લખાણોને માત્ર જેનલક્ષી માનવાની ભૂલ ન કરે તેમ જૈનેતરો પણ એવી ભૂલ ન કરે. લેખસંગ્રહ પાંચ ભાગમાં વહેંચાયેલો છે ઃ સમાજદર્શન, તત્ત્વચર્ચા, ઋતુવર્ણન, પ્રવાસવર્ણન અને વ્યક્તિપરિચય. આ પાંચ વિભાગમાં સમાતા લેખોનું હાર્દ વિચારતાં એમ કહેવું પ્રાપ્ત થાય છે કે લેખકનું માનસિક વલણ જ એવું છે કે તે જડ-ચેતન, સ્થૂળ-સૂક્ષ્મ, વ્યવહાર-પરમાર્થ, વ્યક્તિ-સમાજ, આદિ અનેક વિષયોને લગતી વિવિધ બાબતો અને વિગતોને સ્પર્શે છે; પણ તે કુતૂહલપૂર્ણ જિજ્ઞાસાથી અને કાંઈક નક્કર સત્ય તારવી આપવાની ધગશથી જ. તેથી જ દરેક મુખ્ય વક્તવ્યમાં વિશાળતા સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001206
Book TitleParishilan
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Articles
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy