SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ મારું જીવનવૃત્ત કે એથી પ્રસન્ન થઈ પંડિતજી ખૂબ મમતાથી ભણાવે અને શાસ્ત્રના ઊંડા માઁ દિલ ચોર્યા સિવાય બતાવી દે. પંડિતજી મારી કાળજી તો રાખે, પણ તેઓ બહુ દુર્બળ અને બીમાર રહેતા અને હતા મામાને ત્યાં એટલે તેમને પણ થયું કે સુખલાલજીને પૂરતો સંતોષ આપતો નથી અને બીજી અગવડ તો ઊભી જ છે. તેમણે પોતાના વતન સિંહવાડામાં જવાનું ઠરાવ્યું. હું પણ સાથે ચાલ્યો. આ ગામ દરભંગાથી પાંચ ગાઉ દૂર છે. પાસે એક નાની નદી વહે છે. ને આમ્રવન પણ છે. ત્યાં ફુસથી છવાયેલ એક ઝૂંપડામાં રહ્યો. ઉનાળો તો જેમ તેમ ગયો, પણ વરસાદ આવ્યું પાણી સાથે પૂરી મૈત્રી સધાવા લાગી. પેલા આમ્રવનમાંના એક જૂના ઘરમાં રહ્યા તો ત્યાં જીવાતનું રાજ્ય. છેવટે સાથી ભાલચંદ્ર બ્રહ્મચારી સાથે વિચારી નક્કી કર્યું કે અહીં રહેવા કરતાં દરભંગા જઈ રહેવું સારું છે. નિશ્ચય પ્રમાણે પગે ચાલતાં. રસ્તામાં કેરીઓ અને જાંબૂડાંને સત્કારતાં, વામ્પતી નદીના નવા પૂરમાં ખૂબ નાહી દરભંગા આવી પહોંચ્યા. ચિત્રધર મિશ્ર અને પ્રાયશ્ચિત્ત પ્રથા દરભંગામાં એક સંસ્કૃત રાજકીય વિદ્યાલય છે. તે વખતે ત્યાંના પ્રિન્સિપાલ મહામહોપાધ્યાય ચિત્રધર મિશ્ર હતા. તે મીમાંસક હતા. હું તેમને મળવા ગયેલો. તે વખતે આશય એ હતો કે તેમના દ્વારા એક સુયોગ્ય વાચક મેળવવો. મહામહોપાધ્યાયજી વૃદ્ધ હતા ને હું ગયો ત્યારે વિદ્યાર્થીઓને મીમાંસાશાસ્ત્ર ભણાવતા ને વચ્ચે ટપટપ કરતા. સાથીને પૂછતાં પાછળથી જણાયું કે તેઓ ટપટપ દ્વારા મક્ષિકાયજ્ઞ કરતા. મને થયું કે જાણે લાંબા વખતથી બંધ પડેલ મીમાંસાકસુલભ પશુયશની શું પૂર્તિ તેઓ કરી રહ્યા છે? હું તેમની પાસે બેઠો હતો ત્યારે તેઓ કોઈને પ્રાયશ્ચિત્તની વ્યવસ્થા આપી રહ્યા હતા. મિથિલા અને બંગાલમાં ડગલે ને પગલે પ્રાયશ્ચિત્ત લેવા-દેવાની પ્રથા એટલી બધી પ્રચલિત છે કે હજારો પંડિતો એ વ્યવસ્થા ઉપર પોતાની પ્રતિષ્ઠા અને આજીવિકા નભાવ્યે જાય છે. ત્યાંનું લોકમાનસ પણ એવું છે કે કાંઈક ભૂલ થઈ કે પંડિત પાસે તેનું પ્રાયશ્ચિત્ત પૂછવા ને લેવા લોકોને પ્રેરે. તેથી ત્યાંનું ધર્મશાસ્ત્ર આજે જીવતું છે. જે માણસ પ્રાયશ્ચિત્ત લેવા આવેલો તેણે ભૂલ એ કરેલી કે નાના વાછડાને દોરીથી બાંધેલું ને એમાં એ મરી ગયું. મીમાંસકજીએ એને પ્રાયશ્ચિત્ત એ આપ્યું કે તારે ઉઘાડે પગે ગંગા સુધી ચાલતાં જવું અને ત્યાં સ્નાન-દાન કરવાં. પૂછતાં મને જાણ થઈ કે ગંગા ત્યાંથી ઘણે દૂર છે. ચિત્રધર મિશ્ર બહુ ભલા અને વિવેકી લાગ્યા. ગુરુની પરીક્ષા તેમની પાસેથી પાછો ફરતો ત્યાં રસ્તામાં એક પંડિત મળ્યા. તેમણે મારું નામઠામ જાણી લઈ પૂછ્યું કે શું ભણો છો? અને ક્યાં તેમજ કોની પાસે ? મેં ટૂંકમાં પતાવ્યું. મને એમ લાગ્યું કે, પૂછનાર ઉમરે મારાથી નાના છે. અને કોઈ સાધારણ વિદ્યાર્થી કે પંડિત હશે. અલબત્ત, તેઓ હતા તો ઉંમરે મારાથી નાના, પણ હતા નૈયાયિક અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy