SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષા અને મિથિલાના અનુભવો ૦ ૮૭ હતો, પણ ગમે તેવી ગરમીમાં અતિ તૃષા લાગ્યા છતાં પાણી ન પીવાનો સંસ્કાર આરોગ્યની દૃષ્ટિએ ઊલટી અસર કરી રહ્યો હતો. રાતે પાણી નથી પીવાનું એ ધારણાથી દિવસ છતાં બને તેટલું વધારે પાણી ઢીંચવું ને ઊંટની પેઠે પેટમાં પાણીનો સંગ્રહ કરવો એ અભ્યાસ પહેલેથી પડ્યો હતો ને કાશીની ગરમીમાં વધ્યો પણ હતો. એને લીધે પાચનક્રિયા ઉપર અને મૂત્રાશય ઉપર વધારે પડતી ખરાબ અસર દેખાવા લાગી. તોય રાતે પાણી ન પીવાનો સંસ્કાર બંધ ન પડ્યો. વિચાર કરતાં એમ લાગે છે કે જો તે વખતે રાતે પંડિતને ત્યાં ભણવા જવાની પ્રબળ જિજ્ઞાસાએ એ સંસ્કાર બદલવા ફરજ પાડી ન હોત તો કદાચ એ સંસ્કાર વધારે લાંબો વખત ચાલ્યો હોત ને શરીર ઉપર એની અનિષ્ટ અસર પણ વધારે થઈ હોત. રાતે પણ ગરમીમાં ભણવા જવાનું એટલે રાતે પાણી ન પીવાનો નિયમ શરૂઆતમાં પરાણે પરાણે મોળો કર્યો, પણ પછી તો આજ લગી એ બધું પચી જ ગયું છે. મિથિલામાં વેઠેલાં કો આગલે વર્ષે કાશીમાં આચાર્યના પહેલા ખંડની તથા પટણામાં મધ્યમા એમ બે પરીક્ષા આપી. હવે પરીક્ષા આપવી એ મુખ્ય ધ્યેય ન હતું, પણ અપેક્ષિત શાસ્ત્રસામર્થ્ય પ્રાપ્ત કરવું તેમ જ ગમે તેવા અઘરા ગ્રન્થો પણ આપમેળે વાંચી અને સમજી શકાય એવી ભૂમિકાએ પહોંચવું એ ધ્યેય હતું કાશીના ચાલુ ક્રમથી એ ધ્યેયની સિદ્ધિ થતી ન લાગી. દરમિયાન એક સારા મૈથિલ પંડિત મળી ગયા, જેમનું નામ હતું ચન્દ્રશેખર. તેઓ મને કહે જો તમે મિથિલામાં આવો તો હું તમને પૂરો વખત આપી ભણાવું. દરભંગાથી આગળ મધુવની સ્ટેશન પાસેના પિલખવાડ ગામમાં હું તેમની સાથે ગયો. એ ગામમાં મોટા તૈયાયિક હતા. મહામહોપાધ્યાય દુઃખમોચન ઝા. તે એવા વાદરસિક કે ટિકિટ લઈ ટ્રેનમાં ચઢવાના હોય ને કોઈ પંડિત મળી ગયો તો ટ્રેન ટિકિટ બધું જતું કરી એની સાથે ચર્ચામાં જ ઊતરી જાય. ગામડું સાવ નાનું, ઠંડીનો પાર નહિ. સૂવાની માત્ર જામ અને પહેરવાઓઢવાનાં ત્રણચાર કપડાં એટલે શીતની તપસ્યા તો હતી જ, પણ ખાવાનીએ એક રીતે મારા માટે તપસ્યા હતી. ભાત સિવાય બીજું ખાવા ન મળે. દૂધ મારાથી કેમ મંગાય ? એકલા ભાત ઉપર કદી નહિ રહેલો. થી તો ન જ હોય. હા, ક્યારેક ક્યારેક મિથિલાનું ઘીને આંટે એવું થોડું દહીં મળે ખરું, મન તો ઘણું થાય કે વધારે દહીં માંગુ, પણ સંકોચ આડે આવે. ડાંગરનું પરાળ ગરમ એટલે તેની જ ગાદી બનતી અને જાજમ ઓઢવાના કામમાં આવતી. ઘર પાસેના પોખરાઓમાં જઈ નાહતો. ન નાહીંએ તો લોકો જૈન ગણી અવગણે. નહાતો ત્યારે કેટલીક વાર વીંછીના ચટકાનો અનુભવ થતો, પરંતુ જિજ્ઞાસા આ બધું સહેવા પ્રેરતી. ખાવાના અને બીજા પૈસા પાસે હતા તે પંડિતજીના મામાના ઘરની ગરીબાઈ જોઈ તેમને ઘણાખરા આપી દીધા. અતિ ટાઢમાં પહેરવા લાતેલ ગરમ સ્વેટર પણ આપી દીધું. લાલચ તો એ હતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy