SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ૦ મારું જીવનવૃત્ત રહ્યા અને તે તે વિષયના પંડિતો પાસે મૌખિક પ્રશ્નો પુછાવ્યા. આ ઉત્તરો આપતી વખતે કૉલેજના કેટલાક અજાણ્યા પંડિતોનો પણ પરિચય થયો. પરીક્ષાનું ફળ તો First Class આવ્યું જ, પણ મને ખરો લાભ પંડિત પરિચયથી થયો. બેએક પંડિતો મારી તરફ આકર્ષાયા અને હું તેમની તરફ. પરિણામે એક અતિપ્રસિદ્ધ નૈયાયિક પંડિત નામાચરણ ભટ્ટાચાર્યે મને પોતાને ઘેર આવી ભણી જવા કહ્યું ને કાંઈક અંશે મારે માટે નવું દ્વાર પણ ખૂલ્યું. વામાચરણજી પાસે અધ્યયન મધ્યમાની ચાર વર્ષની પૂર્ણ પરીક્ષામાં સારી રીતે પાસ થયાના સમાચાર જાણી વલ્લભવિજયજી મહારાજ પ્રસન્ન થયા હશે. તેમણે સાધુસ્વભાવ પ્રમાણે બે-ત્રણ સ્થળેથી ધન્યવાદસૂચક તાર કરાવ્યા. પણ મને કાંઈ ખાસ રચ્યું નહિ. ન્યાયાચાર્યનાં છ વર્ષ પૈકી પાંચ વર્ષ જેટલો કોર્સ તો હું કરી જ ગયેલો. નિયમ પ્રમાણે ક્રમે ક્રમે પરીક્ષા આપવાનું કામ જ માત્ર બાકી હતું એટલે કોર્સ સિવાયનું બીજું અગત્યનું ભણી લેવું અને પરીક્ષાનો સમય આવે ત્યારે કોર્સના ગ્રન્થો આપમેળે જ તાજા કરી લેવા એવા વિચારથી આગળનો કાર્યક્રમ શરૂ થયો. ૧૯૬૬ના ઉનાળામાં રોજ ચાલીને ખરે બપોરે નૈયાયિક વામાચરણજીને ત્યાં જતો. ખરે બપોર એટલા માટે પસંદ કરેલો કે તે વખતે બીજા ભણનાર ન હોય એટલે નિરાંતે સમય મળે, પણ પંડિતોનું ચક્ર જુદું જ હોય છે. વામાચરણજી પાસે મેં નવ્ય ન્યાયના સૂત્રધાર ગંગેશ ઉપાધ્યાયનો તત્ત્વચિંતામણિ ગ્રન્થ માથુરી ટીકાસહિત શરૂ કરેલો. હું કેટલે દૂરથી, કેટલી ગરમીમાં, કેટલી જિજ્ઞાસાથી શીખવા આવ્યો છું એનું માપ ભટ્ટાચાર્યજીની ન્યાયબુદ્ધિ કાઢી શકતી નહિ એમ મને લાગતું છતાં જ્યારે જ્યારે થોડું પણ ભણાવતા ત્યારે તેમની નૈયાયિક સુલભ અષ્ટ દૃષ્ટિ ને તેમનું ઊંડું જ્ઞાન મને આકર્ષી અતિ તાપમાં શીતલતા અર્પતાં. આ ક્રમથી મારું અધ્યયન વિશદ બનતું, પણ બુદ્ધિને જોઈતો પૂરો ખોરાક ન મળતો તેથી એક મૈથિલ નૈયાયિકને ત્યાં પણ સાંજે જવું શરૂ કર્યું. તેનું ઘર ત્રણેક માઈલ દૂર એટલે બપોરરાત મળી આઠેક માઈલની મુસાફરી સહેજ થતી. વખત જતાં શ્રમ દેખાતો, પણ આરોગ્ય સચવાતું. કોઈ વાર એક્કામાં બેસી જવાનું મન થતું તો તેને રોકી પૈસા બચાવતો. એ બેત્રણ આનાની મલાઈ કે રબડી ખવડાવી પગનો થાક ઉતારતો. આટલું ચાલવાનો ઉત્સાહ ટકી રહ્યો એનું એક કારણ પ્રથમ કરેલ સમેતશિખરની પગપાળા મુસાફરી એ પણ હતું. જુવાની અને જિજ્ઞાસાજન્ય ઉત્સાહ એટલે તે વખતે પડતું તાણ બહુ અનુભવમાં ન આવ્યું, પણ એની અસર શરીર ઉપર થવી શરૂ થઈ ગઈ હતી. ચોવિહારની ટેવની અસર દેશમાં નિશાળે ભણતો ત્યારથી જ ચોવિહારની ટેવ તો હતી જ, કાશીની અતિ ગરમીમાં પગ જ લગી તે સચવાઈ હતી. રાતે ન જમવું એ સંસ્કાર તો સારો જ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy