SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ પરીક્ષા અને મિથિલાના અનુભવો • ૮૯ પાઠશાળાના અધ્યાપક. એમણે મને સીધેસીધું પૂછ્યું કે તમે અહીં રહો તો હું ભણાવીશ. મારી શ્રદ્ધા એકદમ કેમ ચોટે ? મેં કાંઈક સંકોચાતાં સંકોચાતાં કહ્યું કે સારું. તેઓ જાણે મારા મંદ સ્વરનો ભાવ સમજી ગયા હોય તેમ તરત જ બોલ્યા કે તમે મને કેટલુંક પૂછી જુઓ ને ખાતરી થાય તો અહીં રહો. મેં ન્યાયશાસ્ત્રની સૂક્ષ્મ કોટીઓનાં બે-ચાર બ્રહ્માસ્ત્રો મનમાં સંગ્રહી રાખેલાં તેમાંથી તેમની સામે એક બ્રહ્માસ્ત્ર ફેંક્યું, પણ એ પંડિત એવા કુશળ કે તેમણે તરત જ મારા પ્રશ્નનો લંબાણથી અતિ સ્પષ્ટ જવાબ આપ્યો. હું ઠરી ગયો ને નમી પણ પડ્યો. તેમણે કહ્યું કે તમે પૂછ્યું. અને શંકાનું નિરસન કર્યું એ સારું કર્યું. તેમના કહેવાથી હું ત્યાં જ રહી ગયો. સંસ્કૃત વિદ્યાર્થીઓના છાત્રાલય પાસે એક ગૃહસ્થનો નાનો બગીચો હતો, જેમાં એક કાચું મકાન. એની ઓસરીમાં અમે રહ્યા. પાસે ચોકામાં રસોઈ કરતા. કેળનાં પાંદડાંઓ ઉપર મિથિલાના સુગંધી કૃષ્ણભોગ ભાત ઉપર તુવેરની દાળ પીરસાયા બાદ જ્યારે તદ્દન ચોખ્ખું અને તાજું ઘી પડતું ત્યારે ખરેખર ભોજનહવન મઘમઘી ઊઠતો. એની સુગંધ આ લખું છું ત્યારે સ્મૃતિપટ ઉપર ડોકિયાં કરે છે, પણ આ બગીચો સદ્યો નહિ. એક તો વરસાદ મકાનમાં પણ નવરાવી નાંખે અને બીજુ બગીચામાં સર્પ મહારાજ દર્શન દે. ત્યાંથી અમે ઊપડ્યા ધર્મશાળામાં. એનું મકાન પાકું. ત્યાં ફાવ્યું. રોજ વિદ્યાલયમાં તૈયાયિકજી પાસે સવારે ભણવા જાઉં. ગદાધરના સવ્યભિચાર-સપ્રતિપક્ષ વગેરે ગ્રન્થો ભણતો. થોડાક દિવસ રહ્યો ન રહ્યો ત્યાં તો કાશીથી પત્ર આવ્યો અને કાશી પાછો ફર્યો. તે પંડિતનું નામ બાળકૃષ્ણ મિશ્ર. તેઓ નૈયાયિક તો હતા જ, પણ અસાધારણ દાર્શનિક આલંકારિક ને સત્કવિ પણ હતા. મારા અને એમના વચ્ચે જે સદ્ભાવ બંધાયો તે ગુજરાતમાં ગયા પછી પણ ચાલુ તો રહ્યો જ હતો, પણ તે વધારે સજીવ બન્યો હિન્દુ યુનિવર્સિટીમાં બાલકૃષ્ણને હું ગુરુજી કે મિશ્રજી કહેતો. મિશ્રજી હિન્દુ યુનિવર્સિટીમાં આવ્યા ત્યારથી માલવીયાજીને અને એ.બી. ધ્રુવને કહેતા કે તમે અહીં સુખલાલજીને કેમ નથી બોલાવતા ? દૈવયોગે ઈ. સ. ૧૯૩૩માં હું હિન્દુ યુનિવર્સિટીમાં જૈન દર્શનના અધ્યાપક તરીકે આવ્યો. મિશ્રજી ઓરિયન્ટલ કૉલેજના પ્રિન્સિપાલ અને વેદાન્તના અધ્યાપક હતા. એમના અને મારા વચ્ચે બંધ પડેલો ગુરુશિષ્યભાવ પાછો શરૂ થયો તે ઠેઠ ઈ. સ. ૧૯૪૩ના ડિસેમ્બરના અંત સુધી તેમનો છેવટનો અંત થયો ત્યાં લગી એકસરખો ચાલ્યો. તેઓએ દેહ અને કાશી બંને સાથે છોડ્યાં, જ્યારે મેં એ ડિસેમ્બરને અંતે જ માત્ર કાશી છોડી. મેં જીવનમાં જેટલા ગુરુ કર્યા છે તેટલા બહુ ઓછાએ કર્યો હશે, પણ તેમાં બે એવા મુખ્ય છે કે જેમનો મારા વિદ્યાભ્યાસના ઘડતરમાં બહુ અસાધારણ ફાળો છે. તેમાંથી એક આ બાલકૃષ્ણ મિશ્ર અને બીજા શરૂઆતમાં વ્યાકરણના અધ્યાપક તિવારીજી. તિવારીજી પણ લગભગ ૭૭૫ વર્ષની ઉંમરે ઈ. સ. ૧૯૪રમાં જ વિદેહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy