SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ કાશી પાઠશાળાનો ત્યાગ ૦ ૭૫ પાઠશાળાનો ત્યાગ મહારાજજીની ઇચ્છાને માન આપી હું કલકત્તામાં તેમની સાથે રહેલો નહિ ને પાલિતાણામાં મંત્રી સમક્ષ પાઠશાળાની ખટપટ વિષે જાણતો હતો તે કહેલું એટલે મહારાજજીને હું સ્વાર્થી કે ગુરુદ્રોહી લાગું તે સ્વાભાવિક હતું, પણ મહારાજજી ગંભીરતા સાચવી મનોગત કાંઈ મને જણાવવા દેતા નહિ, પરંતુ એમના પટ્ટધર શિષ્ટ ઇન્દ્રવિજયજી પોતાની પંજાબી શીખ પ્રકૃતિ પ્રમાણે ઉતાવળિયા અને તુંડમિજાજી. તેમને મારા ઉપર હતો તેટલો રોષ વ્રજલાલજી ઉ૫૨ ન હોવાનું એક કારણ એ પણ હતું કે વ્રજલાલજી ક્યારેક દીક્ષા લેશે એવી તેઓ આશા સેવતા. વ્રજલાલે લગ્ન ન કરવાનો નિયમ તો પહેલાં જ લીધો હતો. હવે મહારાજજીની ભેદનીતિ શરૂ થઈ. તેમણે ઇછ્યું કે સુખલાલ અને વ્રજલાલ બંને કોઈ રીતે છૂટા પડે તો જ આપણો દોર નભશે કેમકે તેમને ડર હતો કે આ બંને પાછળથી પાઠશાળામાં સાથે રહ્યા છે, એકરસ થયા છે અને મંત્રીઓ તેમજ બીજા સદ્દગૃહસ્થો તેમને માને છે. મને તે વખતે સખત તાવ આવતો. વ્રજલાલજી મારી પાસે બેસે ને ઉપચાર કરે એ પણ ઇન્દ્રવિજયજીને ગમે નહિ. ઘણી વાર તે વ્રજલાલજીને મારી વિરુદ્ધ ભડકાવે, પણ વ્રજલાલજી સરળ ભાવથી કહી દે કે મહારાજજી, તમે જે કહો છો તે તો સાચું નથી, ઇત્યાદિ. વ્રજલાલજીને મારી વિરુદ્ધ કરવાના પ્રયત્નમાં ન ફાવ્યા એટલે તેઓ મારી ત૨ફ વળ્યા. મને સૂચવવા લાગ્યા કે વ્રજલાલજી તો બ્રાહ્મણ છે અને બ્રાહ્મણ જૈનદ્વેષી હોય છે, ઇત્યાદિ. મારું પણ રૂંવાડું એથી ન ફરકવું. અમે તો ઊલટા એકબીજાની વધારે નજીક આવ્યા. કેટલાક સાધુઓ અને વિદ્યાર્થીઓ પણ અમારા બંને સાથે સારો વર્તાવ રાખતા નહિ. તેથી અમે બંનેએ ખાનગીમાં મળી મંત્રણાઓ ચલાવી કે હવે પાઠશાળામાં રહેવું કે એને છોડી દેવી ? વિચા૨ની એક બાજુ ન છોડવાની હતી. એ બાજુને સ્પર્શતી દલીલો ટૂંકમાં આ હતી : ૧. જેણે ભણવામાં બધી જાતની મદદ કરી ને જેને એક વાર ગુરુ કહ્યા તેને છોડી દેવા એ તો ગુરુદ્રોહ ને કૃતઘ્નતા કહેવાય. ૨. ગુરુભક્તિ વિષેનાં આજ સુધી સાંભળેલાં પ્રવચનોના સંસ્કારે એમ પણ લાગ્યું કે આપણે જુદા પડીએ તો પાઠશાળા ઉપર અને મહા૨ાજી ઉપર વિશેષ આફત ઊતરશે. ત્રણ સાધુઓ પ્રથમ રેલવેથી ચાલ્યા ગયા, ગુરુભાઈ સન્મિત્રે પણ ચાલ્યા ગયા અને આ મોટી ઉંમરના વિદ્યાર્થીઓ પણ નીકળી ગયા તો એની પાછળ શું રહસ્ય છે ? એવો ઊહાપોહ જરૂ૨ જાગશે. ને તેથી મહા૨ાજીને આઘાત પહોંચશે અને પાઠશાળાને પણ ધક્કો લાગશે. આમ બંને એ શું ગુરુભક્તિને અનુકૂળ છે ? ૩. રહેવાથી માંડી ભણવા સુધીની સમગ્ર સગવડ અનાયાસે મળે છે એ તજી અગવડમાં મુકાવું અને મોટા પુરુષનો ખોફ વહોરવો એમાં શું વ્યવહારું ડહાપણ ગણાય ખરું ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy