SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ જ • મારું જીવનવૃત્ત પણ મારું અને વ્રજલાલજીનું અધ્યયન ડગ્યું ન હતું. તેથી મંત્રી છોટાલાલે અમને બંનેને કહ્યું કે, તમે ઈચ્છો તેવા પંડિત પાસે ભણો. પાઠશાળા પૂર્ણ ખર્ચ કરશે. અમારા બંનેનો ઉત્સાહ ખૂબ વધ્યો. કાશીમાં અને બહાર એવા કોઈ સારા પંડિતની અમે તજવીજ શરૂ કરી કે જે અમને બધાં જ પ્રાચીન વૈદિક દર્શનો સમર્થ રીતે અને ખુલ્લા દિલથી ભણાવે કેમકે પ્રથમના અંબાદત્ત શાસ્ત્રીજીની દિલચોરી જોઈ તેમને પાઠશાળાથી છૂટા કર્યા હતા. આ સમય દરમિયાન અમે બંનેએ કાશીના સર્વોત્તમ ગણાતા પંડિતોમાંથી કોઈને મનમાન્યા પૈસા આપી પાઠશાળામાં લાવવાનો યત્ન કર્યો, પણ સફળ થયો નહિ. બહુ મોટા અને અસાધારણ પંડિત હોય તે જૈન પાઠશાળામાં આવવું પસંદ કરે નહિ અને જે આવવા તૈયાર હોય તે દાર્શનિક વિષયોમાં અમારી 'કસોટીએ પાર ન ઊતરે. છતાં અમારા બંનેનું અધ્યયન તો અસ્મલિત ચાલુ જ હતું. અમે બંને કોઈ પંડિતને ત્યાં જઈ ભણી આવતા. ને પાઠશાળાના બીજા વિદ્યાર્થીઓને અમે ભણાવી દેતા. વિદ્યાર્થીઓને દીક્ષા થોડી પણ વિદ્યાર્થીઓ દ્વારા પાઠશાળા ચાલે છે ને મંત્રીઓ તો આમંત્રણ આપતા જ નથી એ સ્થિતિ કલકત્તામાં મહારાજજીના મંડળને સાલતી. ૧૯૬૩નું ચોમાસું પૂરું થતાં જ મહારાજજીએ કલકત્તામાં પોતાની સાથે રહેલા વિદ્યાર્થીઓમાંથી પાંચ જણને દીક્ષા આપી દીધી. આ ઘટનાથી જૈન સમાજમાં ભારે ઊહાપોહ જાગ્યો. લોકો કહેવા લાગ્યા કે મહારાજજીએ પ્રતિજ્ઞાભંગ કર્યો. જ્યારે તેઓ કાશીએ ગયા ત્યારે પોતાનાં બાળકોને માતા-પિતા વિશ્વાસથી ભણવા મોકલે એ હેતુથી તેમણે જાહેર કરેલું કે તેઓ વિદ્યાર્થીઓમાંથી કોઈને દીક્ષા આપશે નહિ. કલકત્તાની આ દીક્ષાથી તેમની પ્રતિજ્ઞાનો ભંગ થતો હતો. હવે કયો માણસ સાધુ ઉપર વિશ્વાસ મૂકી પોતાના બાળકને ભણવા મોકલશે એ પ્રશ્ન ચર્ચાવા લાગ્યો. મહારાજજી બુદ્ધિશાળી વર્ગનું સમાધાન કરી શક્યા નહિ, પણ હંમેશાં બનતું આવ્યું છે તેમ તેમને દીક્ષાઘેલો નાનકડો પણ વર્ગ મળી આવ્યો. શેઠ વીરચંદ દીપચંદ જેવાએ પણ મન મનાવી લીધું કે ભલે દીક્ષા આપી. દીક્ષિતમાંથી કોઈ હેમચંદ્ર પાકશે. મહારાજનો ઉત્સાહ વધ્યો ને એવી દલીલ પણ વહેતી મૂકી કે મારી પ્રતિજ્ઞા તો માત્ર કાશી અને પાઠશાળા પૂરતી હતી. આખી જિંદગી અને કાશીથી બહાર પણ દીક્ષા ન આપવા હું બંધાયો ન હતો. છેવટે વીરચંદ દીપચંદ મહારાજજીને લખ્યું કે તમે કાશી પાછા જાઓ અને પાઠશાળા સંભાળો. ખર્ચની ચિંતા ન કરો. મંત્રીઓના વિરોધની પરવા કર્યા વિના શેઠે તેમનું રાજીનામું સ્વીકારી લીધું. હવે વીરચંદ દિપચંદ જ મુખ્ય રહ્યા. મહારાજજી સર્વ સાથે કાશી પાછા ફર્યા ને મારા જીવનનું નવું પ્રકરણ શરૂ થયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy