SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ - મારું જીવનવૃત્ત વિચારની બીજી બાજુ પાઠશાળા છોડવાની હતી. તેને લગતી દલીલો નીચે પ્રમાણે હતી: – ૧. તંત્ર સડેલું હોય અને તેના છાંટાથી અલિપ્ત રહેવું મુશ્કેલ હોય ત્યારે ગુરુભક્તિ નામના મોહક મંત્રથી અંજાઈ જવું કે કૃતળતાના કલ્પિત આરોપથી ડરવું એ યોગ્ય નથી. ૨. ધર્મશાસ્ત્ર તો પ્રસંગ આવે તેવા વાળા રોજ એમ કહી જેને વડીલ માન્યા હોય તેમની સામે થવાનું પણ સૂચવે છે. ૩. મહારાજજી પાસે રહી તેમને સાથ આપીએ તો મંત્રીઓ અને બીજા સદ્દગૃહસ્થો આપણને આગેવાન વિદ્યાર્થીઓ માની આપણા પાસેથી જે નૈતિક આશા રાખે છે તેનું શું ? ૪. પાઠશાળામાં રહીએ તો છેલ્લા દોઢ વર્ષમાં જે વિશાળ દષ્ટિએ અધ્યયન કરવાની તક મળી છે તે પાછી મહારાજજીના સાંપ્રદાયિક તંત્રમાં કેમ સચવાશે? ૫. સગવડથી લલચાઈ વાજબી પગલું ભરતાં અટકીએ તો બુદ્ધિપૂર્વક જોખમ ખેડ્યાનો અવસર કયારે આવે ? મંત્રણાને અંતે બીજી બાજુની દલીલો ફેવી અને ઠર્યું કે પાઠશાળા તો છોડાવી જ. વ્રજલાલજીએ મને કહ્યું કે તમે દેખતા નથી, પાઠશાળામાં રહી જાઓ. પાઠશાળા છોડવાથી ઘણું સહવું પડશે. હું તો બ્રાહ્મણ છું. પહેલેથી જ કાશીમાં રહેતો આવ્યો છું ને મારે માટે તો ઘણાં બીજાં અન્નસત્રો તેમજ પાઠશાળાઓ છે, પણ જ્યારે એમણે મારો નિશ્ચય જોયો ત્યારે સાથે જ પાઠશાળા છોડી દેવા અંતિમ નિર્ણય કર્યો. મારી પાસે મારો વિદ્યાર્થી અને મિત્ર પૂનમચંદ હતો. વ્રજલાલજી સાથે તેમના નાના ભાઈ ને તેમની માતા હતાં. અમે પાંચ જણ થયાં. પાઠશાળા છોડવાનું તો નક્કી કર્યું, પણ તે વખતે અમારી પાસે એકાદ રૂપિયાથી વધારે કાંઈ ન હતું. અમે નીકળવાની તારીખ, નીકળતી વખતની નીતિરીતિ, એ બધું વિચારી લીધું. વૈશાખ શુક્લ ત્રયોદશીની સાંજ હતી. આગલા દિવસે ચતુર્દશીનું વ્રત આવતું હોવાથી શીખંડ બનેલો હતો. મહારાજજી આહાર કરીને બહાર ઓટલા ઉપર બેઠા હતા. અમે જમી લીધું હતું. અચાનક મહારાજજી પાસે પહોંચ્યા. પગમાં પડ્યા. ને “અમે જઈએ છીએ, આપ રજા આપો' એમ કહ્યું આ બધું અકલ્પિત જોઈ મહારાજજી વિચારમાં પડી ગયા. સ્વભાવે કાંઈક ભીરુ એટલે તેમને એમ થયું હોવું જોઈએ કે આ બે આગળ પડતા વિદ્યાર્થીઓના ચાલ્યા જવાથી તો સમાજમાં નવો ઊહાપોહ શરૂ થશે. તેમણે મારો હાથ પકડી કહ્યું કે, સુખલાલ ! જુઓ ! મારું શરીર કેટલું ગરમ છે. ખરે જ તે વખતે તેમનું શરીર તાવ આવ્યો હોય તેવું ઉષ્ણ હતું, પણ અમે તો તરત જ ત્યાંથી નીકળી ગયા. પાસેના જુદા મકાનમાં વ્રજલાલજીની માતા – જેને અમે સૌ માજી કહેતા – તે રહેતાં, ત્યાં ગયા. અમે ચારેય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy