SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦ • મારું જીવનવૃત્ત ફેંકી દીધા. એ પદ્ય બીજા કોઈનું નહિ પણ સમર્થતમ તાર્કિક યશોવિજયજીનું છે. તેમણે પ્રતિમાશતક નામનો મૂર્તિસમર્થક શાસ્ત્રીય ગ્રન્થ રચ્યો છે. તેનાં મૂળ અને ટીકામાં તેમણે ઉગ્રપણે સાચી રીતે મૂર્તિવિરોધનો પરિહાર કરી મૂર્તિપૂજાનું આગમિક તેમજ તાર્કિક પદ્ધતિએ સમર્થન કર્યું છે. જે પળે મારા ઉપર વીજળિક અસર કરી તેમાં માત્ર તર્કનો આશ્રય લેવામાં આવ્યો છે. તેમણે એમ કહ્યું છે કે, ઉપાસ્ય ઈષ્ટદેવનું સ્મરણ તો મૂર્તિવિરોધીને પણ માન્ય છે. હવે જો નામ તેનું સ્મરણ કરવામાં સહાયક થતું હોય તો મૂર્તિ પણ તેનું સ્મરણ કરાવવામાં સહાયક થાય છે જ. વળી, જેને પરંપરા પ્રમાણે નામ અને મૂર્તિ બંને પૌગલિક હોઈ જડ જ છે. એવી સ્થિતિમાં સ્મરણના સાધન તરીકે એકમાત્ર નામને જપ ખાતર માનવું અને બીજા સાધન-મૂર્તિને ન માનવું ક્યાંનો ન્યાય ! જો માનવું જ હોય તો સ્મરણમાં ઉપયોગી થતાં નામ અને મૂર્તિ બંનેને સમાનભાવે માનવાં જોઈએ, નહિ તો બંનેને છોડવાં જોઈએ. જ્યારે વિરોધી પક્ષ તો માત્ર નામને સ્વીકારે છે અને મૂર્તિને નહિ. આ પક્ષપાત ગણાય. ઉપાધ્યાયજીના એ તર્કે મને વિચાર કરતો કરી મૂક્યો. પછીથી એના પ્રકાશમાં શાસ્ત્રીય પાઠો વાંચવા લાગ્યો અને બંને પક્ષોની દલીલોને તોળવા લાગ્યો ત્યારે ભ્રમ સાવ ભાંગ્યો. સંસ્કારપરિવર્તનનો આ પ્રસંગ મૂળે તર્કમૂલક હતો; પણ બીજો એક પ્રસંગ કાશીમાં જ પ્રાપ્ત થયો, જે ઊર્મિ અને ભાવનામૂલક હતો. ત્યાંના મંદિરમાં એક વાર પૂજા ભણાવાતી. નવપદ કે પંચજ્ઞાન વિષેની પૂજા હતી તે ચોક્કસ યાદ નથી. હું પણ પૂજા સાંભળવા ગયેલો. મારું ધ્યાન ઢાળોના અર્થચિંતનમાં એટલું બધું નિમગ્ન થયેલું કે તે વખતે ચાલતો સંગીત-સ્વરનો મને કશો ખ્યાલ રહ્યો નહિ. અર્થચિંતનમાંથી ઉદ્ભવતી ધ્યાનની એકાગ્રતાએ હ્યદયગત ભાવોને એટલા બધા આર્ટ ઠર્યા કે તે અશુપાતના રૂપમાં નિર્ગલિત થયા. રસશાસ્ત્રમાં આહલાદમયી બ્રહ્માનંદ સહોદર ચિત્તધ્વતિ વિષે રટી ગયેલો, પણ એનો સાક્ષાત્કાર તો તે વખતે જ થયો. હવે સમજાય છે કે, જેને ભક્તિરસ કહેવામાં આવે છે તે કાંઈક આવી જ સ્થિતિ હશે. ત્યાંથી ઊઠી રૂમમાં જઈ તે વખતે જાગેલા મૂર્તિના આલંબન વિષેના ભાવો એક સહચારી પાસે ટૂંકમાં લિપિબદ્ધ કરાવ્યા હતા, પણ એ કાગળિયાંઓમાંનું કાંઈ ભાત્ર સ્મરણ સિવાય) મારી પાસે શેષ નથી. તર્ક અને ભાવ બંનેના યુગલે મૂર્તિમાન્યતા વિષેનું સંસ્કારચક્ર બદલી તો નાંખ્યું, પણ એના ઉપર ઓપ તો ચડાવ્યો આગળ ઉપર કરેલ શાસ્ત્રના વિશેષ પરિશીલને, ઇતિહાસના ચિંતને અને સમાજના નિરીક્ષણે. અત્યારે તો મૂર્તિ વિષેનું મારું ચિંતન માત્ર જૈનપરંપરા પૂરતું રહ્યું નથી. મનુષ્યસ્વભાવ મૂર્તિની ઉપાસના તરફ કેમ ઢળે છે અને પાછો તેનો આત્યંતિક વિરોધ કરવા કેમ મંડી પડે છે એનાં ઐતિહાસિક કારણો સમજાતાં દીવા જેવું દેખાયું કે ઇસ્લામની પેઠે સ્થાનકવાસી પરંપરાનો આત્યંતિક મૂર્તિવિરોધ એ તો મૂર્તિમાન્યતાની વિકૃત અતિશયતાની પ્રતિક્રિયા માત્ર છે. સ્થાનકવાસી પરંપરાએ મૂર્તિપૂજામાં દાખલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy