SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ યાત્રા અને મૂર્તિપૂજા • ૬૯ મિત્ર વ્રજલાલજી સાથે કાશી પાઠશાળામાં પાછો ફર્યો. ત્યાં આઠેક વિદ્યાર્થીઓ હતા. સન્મિત્ર પાછળથી સમેતશિખર તરફ વિહાર કરી ગયેલા. અમે વધારે ઉત્સાહથી પાછા ભણવામાં લાગ્યા, જેથી વચ્ચે પડેલ ગાબડું પુરાઈ જાય. હવે અધ્યાપક પાસે સમય પણ પૂરતો મળ્યો. વ્રજલાલજી અને મારા વચ્ચેનો સંબંધ વધારે ગાઢ થતો ચાલ્યો. થોડા વખતમાં કામ તો ઠીક થયું, પણ દેશમાં જવાનો એક પ્રસંગે ઉપસ્થિત થયો. આવ્યો ત્યારથી ઘેર નહિ ગયેલ એટલે ત્રણ વર્ષ પછી પહેલવહેલો જ ઘેર ગયો. ૧૯૬૩ના ઉનાળામાં એકાદ માસ ઘેર ગાળી કાશી પાછો ફર્યો તે પહેલાં પાલિતાણા પણ એ ગાળામાં જઈ આવ્યો. પાલિતાણા જવાનો જિંદગીમાં આ પહેલો જ પ્રસંગ હતો. શ્રદ્ધાથી પગે ચાલી પહાડ ઉપર ચડેલો અને યશોવિજયજીએ એક સ્તવનમાં કહ્યું છે તેમ અંબરગંગા સમી ત્યાંની ઉજ્જવલ જિનગૃહમંડલીમાં વિવિધ ભાવો સાથે દર્શનપૂજન પણ કર્યા. મૂર્તિપૂજા મૂર્તિ એ તો માત્ર પાષણ છે, તેની પૂજા એ તો કેવળ જડપૂજા હોઈ ધર્મબાહ્ય છે એવાં સ્થાનકવાસી પરંપરાગત સંસ્કાર તો જન્મથી જ પડેલા ને પોષાયેલા. મૂર્તિ પ્રત્યે સંપ્રદાયરૂઢ દ્વેષ ન હોવા છતાં તેના પ્રત્યે કોઈ ખાસ રુચિ કે આકર્ષણ પણ ન હતું. દેખતો ત્યારે વઢવાણ શહેરના જૈન મંદિરમાં કૌતુકવશ દૂરથી ડોકિયું કરી આવતો અને જોતો હતો કે બધા કેવી રીતે પૂજા કરે છે, ને કેવી રીતે ચંદન-કેસર ઘસે છે ! પરંતુ ૧૯૫૯ના ચોમાસામાં વઢવાણ કેમ્પમાં રહ્યો ત્યારે ઉજમશી માસ્તર સાથે મૂર્તિની માન્યતા વિષે થોડીક ચર્ચા કરવાનો પ્રસંગ પણ આવેલો. દુરાગ્રહ હતો નહિ અને બુદ્ધિ કંઈક મદદે આવી એટલે પેલો જન્મગત સંસ્કાર અજ્ઞાત રીતે મોળો પડેલો, પણ એ સંસ્કાર નિર્મુળ થઈ જવાનો પ્રસંગ તો કાશીમાં જ સાંપડ્યો. એમ તો પાઠશાળામાં લગભગ રોજ સહવાસીઓની દેખાદેખીથી મંદિર જતો અને કાંઈક સ્તુતિપાઠ કરતો, પરંતુ બે વર્ષ બાદ ત્યાં એક ઘટના એવી બની કે મૂર્તિની માન્યતા વિષે સ્થિર મને વિચાર કરવાની ફરજ પડી. વરાડમાં ક્યાંક એક સ્થાનકવાસી સાધુએ મૂર્તિવિરુદ્ધ ખંડનમંડન શરૂ કરેલું. ત્યાંના સ્થાનિક લોકોએ એને સામો જવાબ આપવા કોઈ સુયોગ્ય વ્યક્તિએ મોકલવા મહારાજજીને લખ્યું. વ્રજલાલજી વરાડના જ નિવાસી અને ઉત્સાહી તેમજ વક્તા પણ ખરા. મહારાજજીએ તેમને ત્યાં મોકલવા તૈયાર કર્યા ત્યારે તેમની સાથે બીજા કોઈએ જવું એમ પણ ઠર્યું. શરૂઆતમાં એ પસંદગી મારા ઉપર ઊતરી. ત્યાં જવું તો શાસ્ત્રીય પ્રશ્નો વિષે ઠીક-ઠીક તૈયારી કરીને જ જવું એવી ધારણાથી બંને પક્ષની અનુકૂળ-પ્રતિકૂળ દલીલો તેમ જ ચર્ચાઓનાં પુસ્તકો વાંચવા માંડ્યાં. જોકે, છેવટે વ્રજલાલજીની સાથે વરાડમાં તો ન ગયો, પણ તે વખતે વાંચવા પામેલ સાહિત્યમાંથી એક જ પદ્ય રહ્યાસહ્ય મૂર્તિની માન્યતા વિરુદ્ધના સુષુપ્ત સંસ્કારોને જડમૂળથી ઉખાડી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001205
Book TitleMaru Jivanvrutt
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi, Dalsukh Malvania
PublisherGurjar Granthratna Karyalay
Publication Year2003
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati & Biography
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy